સંબંધિત સમાચાર
- પહેલા રાહુલ ગાંઘી, હવે કેજેરીવાલે BJP ને 2027 માં આપ્યો હરાવવાનો પડકાર, ગુજરાતમાં કોણ છે AAP નાં 10 મોટા ચેહરા
- ગુજરાતમાં સત્તા પરિવર્તન કરી બીજેપીને ભગાડશે આમ આદમી પાર્ટી, અરવિદ કેજરીવાલે કાર્યકર્તાઓમાં ભર્યો જોશ
- જેલમાં બંધ ખેડૂતોને મળી શક્યા નહીં કેજરીવાલ, AAP કન્વીનરે ગુજરાતની BJP સરકારને તાનાશાહ બતાવી
- ગુજરાતની ધરતી પર બોઝ બની ગઈ છે બીજેપી.. ખેડૂત મહાપંચાયતમાં પંજાબ CM ભગવંત સાથે ગરજ્યા કેજરીવાલ
- 31 ઓક્ટોબરે જ્યારે ગુજરાતમાં હશે PM મોદી, ત્યારે ભગવંત માન સાથે એન્ટ્રી લેશે કેજરીવાલ, AAP એ રાખ્યો આ મોટો કાર્યક્રમ
હુ ભ્રષ્ટ નથી, કટ્ટર ઈમાનદાર.. કોર્ટમાંથી નિર્દોષ સાબિત થતા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા કેજરીવાલ, Video
Arvind Kejriwal Gets Bail
દિલ્હી દારૂ નીતિ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે તમામ આરોપોમાંથી મુક્ત કર્યા બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે આ કેસ સ્વતંત્ર ભારતમાં તેમની સામેનું સૌથી મોટું રાજકીય કાવતરું હતું. કોર્ટની બહાર પત્રકારો સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું, "મેં મારા જીવનમાં ફક્ત પ્રામાણિકતા જ કમાઈ છે. ભાજપે મારા પર ખોટા આરોપો લગાવ્યા. આજે કોર્ટે એ પણ જાહેર કર્યું કે કેજરીવાલ અને સિસોદિયા કટ્ટર પ્રમાણિક છે."
નિર્દોષ સાબિત થતા જ રડી પડ્યા અરવિંદ કેજરીવાલ
રાઉજ એવેન્યુ કોર્ટના નિર્ણય બાદ તેઓ પ્રેસ સામે આવતા ભાવુક થઈ ગયા અને કહ્યુ, "હુ ભ્રષ્ટ નથી. આજે કોર્ટે પણ કહી દીધુ છે કે કેજરીવાલ અને સિસોદિયા ઈમાનદાર છે."
હુ ભ્રષ્ટ નથી, કટ્ટર ઈમાનદાર.. કોર્ટમાંથી નિર્દોષ સાબિત થતા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા કેજરીવાલ, Video #ArvindKejriwal #aap #AAPParty #ArvindKejariwal #Viralvideo #ManishSisodiya #webdunianews #DelhiExcisePolicyCase pic.twitter.com/BvunbO2ApI
— Webdunia Gujarati (@Webdunia_Guj) February 27, 2026
AAP ને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો
કેજરીવાલે કહ્યુ, ભાજપા લાંબા સમયથી દારૂ ગોટાળા કરી રહી હતી. એ બધુ ખોટુ આજે બેનકાબ થયુ. આજે સત્યની જીત થઈ છે. મને શરૂઆતથી જ ન્યાય પ્રણાલી પર વિશ્વાસ હતો. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે એ લોકોએ આમ આદમી પાર્ટીને ખતમ કરવાની કોશિશ કરી.
કોર્ટની CBI ની ફટકાર
ઉલ્લેખનીય છે કે દિલ્હીની રાઉજ એવેન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઈસ પોલિસી કેસમાં મુક્ત કર્યા છે. આ કેસમાં કોર્ટે મનીષ સિસોદિયાને પણ બધા આરોપોથી મુક્ત કરી દીધા. કોર્ટે આ નિર્ણયને AAP નેતૃત્વની મોટી કાયદાકીય રાહત આપી છે અને પાર્ટીએ આને સત્યની જીત બતાવી છે.
