શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 30 માર્ચ 2020 (10:02 IST)

ગુજરાતમાં કોરોના વાયરસના ચેપના 8 નવા કેસો આવ્યા બાદ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 63 થઈ

વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. વિશ્વના 199 દેશો આ વાયરસથી પ્રભાવિત થયા છે. વિશ્વભરમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 7 લાખને વટાવી ગઈ છે, જ્યારે તેનાથી મૃત્યુની સંખ્યા 33 હજારથી વધુ છે. ભારતમાં તેના દર્દીઓની સંખ્યા 1 હજારને વટાવી ગઈ છે. કોરોના વાયરસથી સંબંધિત દરેક અપડેટ-
મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજના ડીન અનુસાર, મધ્યપ્રદેશમાં 8 નવા કોરોના વાયરસ પોઝિટિવ કેસ નોંધાયા છે. ઈન્દોરથી 7 અને ઉજ્જૈનમાંથી 1
ઈન્દોરમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 32 પર પહોંચી ગઈ છે.
- મહારાષ્ટ્રમાં 12 નવા પોઝિટિવ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. 5 પુના, 3 મુંબઇ, 2 નાગપુર, 1 કોલ્હાપુર, 1 નાસિકના છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 215 થઈ ગઈ છે.
- વિશ્વમાં કોરોનાથી 7 લાખ 21 હજાર 903 દર્દીઓ સંક્રમિત છે. 33 હજાર 966 લોકોનું મોત.
- તમિળનાડુના ત્રિચીમાં એક ખાનગી સોફ્ટવેર કંપનીએ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને દવાઓ પહોંચાડવા માટે હ્યુમનૉઇડ રોબોટ્સનું દાન કર્યું.
- મેક્સિકોમાં 145 નવા પોઝિટિવ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. વાયરસને કારણે 4 વધુ મોત.
- રવિવારે ગુજરાતમાં કોરોના વાયરસના ચેપના 8 નવા કેસો આવ્યા બાદ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 63 થઈ ગઈ છે. અમદાવાદની હોસ્પિટલમાં 45 વર્ષીય વ્યક્તિના મોત બાદ રાજ્યમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક 5 પર પહોંચી ગયો છે.