1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
  4. Indira Gandhi Pratishthan event Lucknow

BJP નુ રિમોટ કંટ્રોલ નથી RSS, સંઘ બીજેપીને નથી ચલાવતુ - મોહન ભાગવત

Indira Gandhi Pratishthan event Lucknow
RSS પ્રમુખ બે દિવસીય લખનૌ પ્રવાસ પર છે. આ દરમિયાન ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં આયોજીત સમારંભમાં તેઓ બોલ્યા કે RSS કોઈ ભાજપાનુ રિમોટ કંટ્રોલ નથી. તેમના મુજબ સંઘના સ્વયંસેવક જુદા જુદ ક્ષેત્રોમાં જાય છે. કેટલીક રાજનીતિમાં પણ સક્રિય થાય છે. પણ આ કહેવુ ખોટુ છે કે સંઘ ભાજપાને ચલાવે છે. તેમણે એ પણ જોદ્યુ કે જે લોકો ભાજપાનો વિરોધ કરે છે. તેઓ સંઘનો પણ વિરોધ કરે છે.  
 
અમેરિકી ટૈરિફના મુદ્દા પર ભાગવતે કહ્યુ કે દબાણ બનાવવુ તેમની જૂની નીતી છે. તેમનો દાવો હતો કે ભારત હવે એટલુ સક્ષમ છે કે કોઈઆર્થિક કે સામરિક દબણ આગળ નમનારુ નથી અને તેની દેશ પર વિશેષ અસર નહી પડે.  
 

મંદિર સરકારી નિયંત્રણથી મુક્ત હોવુ જોઈએ 
 

મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવાના પ્રશ્ન પર, તેમણે કહ્યું કે વાસ્તવિક ચિંતા એ હોવી જોઈએ કે મંદિરોના સંચાલન અને નિયમિત પૂજાની જવાબદારી કોણ લેશે. તેમણે ઉદાહરણ આપ્યું કે શીખ સમુદાય તેના ગુરુદ્વારાઓને વ્યવસ્થિત રીતે ચલાવે છે. ધાર્મિક નેતાઓ અને સમાજે આ દિશામાં આગળ આવવું જોઈએ.
મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવાના પ્રશ્ન પર, તેમણે કહ્યું કે વાસ્તવિક ચિંતા એ હોવી જોઈએ કે મંદિરોના સંચાલન અને નિયમિત પૂજાની જવાબદારી કોણ લેશે. તેમણે ઉદાહરણ આપ્યું કે શીખ સમુદાય તેના ગુરુદ્વારાઓને વ્યવસ્થિત રીતે ચલાવે છે. ધાર્મિક નેતાઓ અને સમાજે આ દિશામાં આગળ આવવું જોઈએ.
 
UGC ગાઈડલાઈંસ પર તેમણે સંયમિત વલણ અપનાવ્યુ.  ગાઈડલાઈંસ પર તેમને સંયમિત વલણ અપનાવ્યુ. કહ્યુ કે મામલો સુર્પીમ કોર્ટમાં લંબીત છે. તેથી કોર્ટનો નિર્ણય આવ્યા પછી સ્થિતિ સ્પષ્ટ થશે. આ પહેલા તેમણે કાયદાના પાલનની વાત કરી હતીઅને જોડ્યુ હતુ કે કોઈ કાયદો ખોટો છે તો તેને બદલ વઆનો સંવૈઘાનિક રસ્તો હાજર છે.  
 

લખનૌ વિશ્વવિદ્યાલયમાં થયો હતો વિરોધ 
 

સવારે જ્યારે તેઓ લખનૌ યુનિવર્સિટી પહોંચ્યા, ત્યારે કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ કર્યો. "પાછા જાઓ" ના નારા લગાવવામાં આવ્યા, અને પોલીસે વિરોધીઓને દૂર કર્યા અને કાર્યક્રમ આગળ ધપાવ્યો.