સંબંધિત સમાચાર
- જ્યારે હું મારા પિતાને મળી, ત્યારે તેમણે મારો હાથ પકડ્યો. માતા અને ભાઈ ગુમ છે અને મારી દાદીનું અવસાન થયું છે. છોકરીએ જબલપુર ક્રુઝ અકસ્માતમાં ધ્રૂજતા અવાજમાં દ્રશ્ય વર્ણવ્યું
- દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભીષણ અકસ્માત: ચાલતી કારમાં આગ લાગતા 5 લોકો જીવતા ભૂંજાયા
- ગેસ કટોકટી અંગે વરરાજાની સ્થિતિએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા; કન્યાના જવાબ પછી તેણે સાત પ્રતિજ્ઞાઓ લીધી
- કાળઝાળ ગરમીએ હાહાકાર મચાવ્યો! લાતુરમાં હીટસ્ટ્રોકના 39 કેસ નોંધાયા, 3 લોકોના મોત
- Odisha Bus Truck Accident- બસ અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર, 4 લોકોના મોત, 12 ઘાયલ
જબલપુર ક્રૂઝ દુર્ઘટના: વાવાઝોડાની ચેતવણી છતાં મોટી બેદરકારી, મૃત્યુઆંક 9 પર પહોંચ્યો
Jabalpur Cruise Accident: મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમ ખાતે સર્જાયેલી ક્રુઝ શિપ દુર્ઘટનામાં વહીવટીતંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા અકસ્માતના એક દિવસ પહેલા જ 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની અને વાવાઝોડાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી. આમ છતાં, ગુરુવારે સાંજે આશરે 4:30 વાગ્યે જોખમી વાતાવરણમાં ક્રુઝને પાણીમાં ઉતારવાની મંજૂરી આપવામાં આવી હતી, જે અંતે જોરદાર પવનને કારણે પલટી ગઈ હતી.
JABALPUR, MADHYA PRADESH | Boat capsizes in Bargi Dam; 4 dead, 15 rescued, search and rescue operations underway pic.twitter.com/VYiDIlFmuT
— The Tatva (@thetatvaindia) April 30, 2026
મૃત્યુઆંક અને રેસ્ક્યુ ઓપરેશનની સ્થિતિ
આ કરૂણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 15 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ 9 લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે, જેમને શોધવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ક્રુઝ શિપ પાણીની સપાટીથી લગભગ 20 મીટર નીચે ફસાયેલું હોવાથી NDRF અને સ્થાનિક ડાઇવિંગ ટીમોને ઓપરેશનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ઘટનાસ્થળની વિગતો અને તીવ્ર શોધખોળ
અકસ્માતની વિગતો મુજબ, આ ઘટના ડેમની કિનારીથી આશરે 300 મીટર દૂર પાણીમાં બની હતી. શુક્રવારની સવાર પડતાની સાથે જ જબલપુર વહીવટીતંત્ર અને રાહત ટીમોએ ગુમ થયેલા લોકોની શોધખોળ વધુ તેજ બનાવી છે. ઘટનાસ્થળ પરથી આવતી તસવીરોમાં રેસ્ક્યુ ટીમો સતત બોટ અને આધુનિક સાધનોની મદદથી ઊંડા પાણીમાં તપાસ કરતી જોવા મળે છે જેથી ગુમ થયેલા લોકોની ભાળ મેળવી શકાય.
સુરક્ષાના ધોરણો અને જવાબદારી સામે સવાલ
આ ઘટનાએ પ્રવાસન સ્થળો પર સુરક્ષાના ધોરણો અને સરકારી તંત્રની સતર્કતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ચેતવણી હોવા છતાં 29 મુસાફરો સાથે ક્રુઝને પરવાનગી આપનાર જવાબદારો સામે તપાસના આદેશ આપવામાં આવી શકે છે. વહીવટી ક્ષતિને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે આગામી સમયમાં આ મામલે કડક તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.
