મથુરામાં એક જ પરિવારના 5 લોકોએ કર્યુ સુસાઈડ, પતિ-પત્ની અને 3 બાળકોએ ઝેર ખાઈને આપ્યો જીવ
યૂપીના મથુરામાં એક પરિવારના 5 સભ્યોનુ દર્દનાક મોતે સમગ્ર વિસ્તારને હલાવી નાખ્યુ છે. જીલ્લાના મહાવન પોલીસ વિસ્તારના ખપ્પરપુર ગામમા પતિ પત્ની અને 3 બાળકોએ ઝેર ખાઈને જીવ આપી દીધો. ઘટના પર પહોચેલી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. ડેડબોડી નો કબજો લઈને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
દૂધમાં ઝેર નાખીને પીધુ
શરૂઆતી માહિતી મુજબ બધાએ સોમવારે રાત્રે દૂધમાં ઝેર નાખીને પીધુ. ઘટનાની જાણકારી એ સમયે મળી જ્યારે પરિવારના લોકો સવારે મોડે સુધી ઉઠ્યા નહી. ત્યારબાદ પડોશીઓએ પોલીસને સૂચના આપી. પોલીસનુ કહેવુ છે કે ઘટના સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સંબંધીઓની અને ગ્રામીણોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મોતના સચોટ કારણોની ચોખવટ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ થશે.
મૃતકના ઘરની બહાર લોકોની ભીડ
આ ઘટના મહાવન પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા ખપ્પરપુર ગામમાં બની હતી. મૃતકના ઘરની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે, અને પોલીસ તૈનાત કરવામાં આવી છે. ઝેરનું કારણ હાલમાં અજ્ઞાત છે. પોલીસ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે.