ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 2 નવેમ્બર 2017 (13:19 IST)

12મો કચ્છ રણોત્સવનો પ્રારંભ…વિદ્યા બાલન કચ્છ રણોત્સવની મહેમાન બનશે

12મો કચ્છ રણોત્સવનો પ્રારંભ…ટેન્ટ સિટીમાં પ્રવાસીઓનું આગમન શરૂ…વિદ્યા બાલન રણોત્સવની લેશે મુલાકાત 
પહેલી નવેમ્બરથી કચ્છ રણોત્સવનો પ્રારંભ થઈ ચુકયું છે.102  દિવસ માટે શરૂ થયેલા 12મા રણોત્સવમાં કેટલાક નવા આકઋષકો રંગત જમાવશે. વિધાનસભા ચુંટણીની આચાર સંહિતાને કારણે સામાન્ય રીતે જ પ્રથમ પ્રવાસીઓને આવકારીને રણોત્સવ ખુલ્લો મુકાયો 
કચ્છ રણોત્સવનો આજથી થયો પ્રારંભ…ટેન્ટ સિટીમાં પ્રવાસીઓનું આગમન શરૂ…વિદ્યા બાલન રણોત્સવની લેશે મુલાકાત 1 નવેમ્બરથી કચ્છ રણોત્સવનો પ્રારંભ થઈ ચુકયું છે. ટણીની આચાર સંહિતાને કારણે સામાન્ય રીતે જ પ્રથમ પ્રવાસીઓને આવકારીને રણોત્સવ ખુલ્લો મુકાયો છે અને આગામી ૪ થી નવેમ્બરે પુનમના દિવસે બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન કચ્છ રણોત્સવની મહેમાન બનશે.
સામાન્ય રીતે વાજતેગાજતે રણોત્સવની શરૂઆત થતી હોય છે જેનાથી કચ્છના ટુરીઝમની વિશ્વ લેવાતી હોય છે પણ આ વખતે ચુંટણી જાહેર થતા રણોત્સવનું ઓપનિંગ મોટાપાયે શરૂ થઈ શક્યુ નથી ત્યારે દેશ-વિદેશના લોકોની સફેદરણ પર નજર પડે અને ચાર માસ સુધી ચાલનારા આ ઉત્સવમાં જોડાય તે માટે બોલીવુડ અભિનેત્રી વિધા બાલનનો સહારો લેવાયો છે.જાણકારોના મતે  રણોત્સવનો અલસી મિજાજ ડિસેમ્બરથી જ જોવા મળશે.  વિદ્યા બાલન 4 થી નવેમ્બરે સફેદરણ આવી પહોંચશે. કચ્છની મહેમાનગતિ, ટેન્ટસિટીનોતથા સફેદરણનો નજારો માણવા સાથે તેણી કચ્છના પ્રવાસનને પ્રમોટ કરશે.
 
તેથી પ્રવાસીઓને ટેન્ટ સીટીથી દુર 13 કિ.મી. અંદર સફેદરણનાં દર્શન કરાવવા લઈ જવાશે. તો આગામી 4 નવેમ્બરે પુનમનાં દિવસે બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન કચ્છનાં સફેદ રણમાં મહેમાન ગતિ માણવા આવી રહી છે. બોલિવુડ અભિનેત્રી સેલિબ્રીટી એવી વિદ્યા બાલન ગુજરાત પ્રવાસન વિભાગનું પ્રમોશન પણ કરશે. લોકો પ્રવાસન સ્થળો પર આકર્ષાય તે માટે આયોજનનાં ભાગરૂપે વિદ્યા બાલનને સફેદ રણમાં આવવાનું આમંત્રણ અપાયું છે. ત્યારે આગામી શનિવારે વિદ્યા બાલન રણોત્સવમાં આકર્ષણ ઉભુ કરશે.