Webdunia - Bharat's app for daily news and videos

Install App

'અમદાવાદ' નામ બદલીને 'કર્ણાવતી' કરવાના વિરોધમાં રિટ કરાઈ

ગુરુવાર, 29 નવેમ્બર 2018 (11:48 IST)
'અમદાવાદ' નામ ને ઇન્ટેજીબલ કલ્ચરલ હેરિટેજ તરીકેની ઓળખ તેમજ સંરક્ષણ માગણી કરતી પીટિશન ગુજરાત હાઇકોર્ટમાં કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ કરવામાં આવી છે. 'અમદાવાદ' શહેરનું નામ બદલીને 'કર્ણાવતી' કરવાના કેટલાંક નેતાઓના નિવેદનોના વિરોધમાં આ અરજી કરવામાં આવી છે. ભવિષ્યમાં પણ કોઈ સત્તાધિશ પક્ષ શહેરનું નામ બદલવા અંગે પગલાં ન લે તેવું સંરક્ષણ 'અમદાવાદ' નામને અપાવવાની માગણી અરજીમાં કરાઈ છે.શહેરનું નામ બદલવા અંગે સરકારે કોઈ પ્રસ્તાવ કે યોજના તૈયાર કરી છે કે નહીં તેની માહિતી હાઇકોર્ટે અરજદાર પાસેથી માગી છે. જેનો જવાબ રજૂ કરવા માટે સમયની માગણી કરાતા વધુ સુનાવણી બે સપ્તાહ પછી રાખવામાં આવી છે. 
અરજદારની રજૂઆત છે કે તાજેતરમાં સત્તાધિશ રાજકીય પક્ષના કેટલાંક નેતાઓએ જાહેરમાં એવા નિવેદન કર્યા હતા કે 'અમદાવાદ' શહેરનું નામ બદલીને 'કર્ણાવતી' કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી એ પણ 'અમદાવાદ'નું નામ બદલવા અંગે નિવેદન આપ્યું હતું.  અમદાવાદને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યું છે. અરજીમાં રજૂઆત કરાઈ છે કે છેલ્લી ૬ સદીથી 'અમદાવાદ' નામ એ આ શહેર અને શહેરના લોકો સાથે જોડાયેલું છે. આ નામના કારણે અહીંના લોકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખ મળી છે. 'અમદાવાદ' નામ એ આ શહેર અને અહીંના લોકોની અસ્મિતાનું અભિન્ન અંગ છે. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવવા માટે રાજ્ય સરકારે યુનેસ્કો સમક્ષ રજૂ કરેલા 'ડોઝિયર' એટલે કે વિસ્તૃત પ્રસ્તાવમાં આ સમગ્ર બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 
આ નામ અહીંના નાગરિકોની અભિન્ન ઓળખ છે. જ્યારે 'અમદાવાદ'નું નામ કર્ણાવતી હોવાની બાબતને ઐતિહાસિક સમર્થનો કોઈ દસ્તાવેજમાં મળતું નથી. ભવિષ્યમાં પણ અન્ય સત્તારૃઢ પક્ષ 'અમદાવાદ' નામમાં કોઈ ફેરફાર ન કરી શકે તે માટે 'અમદાવાદ' નામને જ અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરવો જોઈએ. હાઇકોર્ટે અરજદારને પૂછ્યું હતું કે રાજ્ય સરકાર કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરનું નામ બદલવા અંગે કોઈ પ્રસ્તાવ કે આયોજન તૈયાર કર્યું છે કે નહીં. માત્ર રાજકીય નેતાઓના નિવેદનોને આ પ્રકારના કેસનો આધાર ગણી શકાય નહી. રાજ્ય સરકારે કે મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ લેખિત પ્રસ્તાવ તૈયાર કર્યો છે કે નહીં તે અંગેની રજૂઆત માટે હાઇકોર્ટે અરજદારને બે અઠવાડિયાનો સમય આપ્યો છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

દમણ અને દીવ નો ઇતિહાસ

જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનિક દત્તાનું અગાશી પરથી પડતા શંકાસ્પદ મોત, ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળતા ચકચાર

ગુજરાતી જોક્સ- લગ્ન નહીં કરી શકીએ.

ગુજરાતી જોક્સ - રાખડી

સંકટ વચ્ચે શક્તિપીઠની શરણે પહોચ્યા રણવીર સિંહ, મૈસૂરના ચામુંડેશ્વરી મંદિરમાં માતા સામે માથુ ટેકવ્યુ

આગળનો લેખ
Show comments