સંબંધિત સમાચાર
- અયોધ્યાથી 1600 કિમી દૂર થયો ચમત્કાર! નદીમાંથી મળી ભગવાન વિષ્ણુની હજાર વર્ષ જૂની પ્રતિમા, આભા રામલલા જેવી છે
- Congress એ રામ મંદિર જવાનુ આમંત્રણ ઠુકરાવ્યુ, ગુજરાત સહિત પાર્ટી નેતા બોલ્યા આ આત્મઘાતી નિર્ણય, દિલ તૂટી ગયુ
- Bhadrapada Amavasya 2023 - કુશગ્રહણી અમાવસ્યા પર બની રહ્યો છે શુભ સંયોગ, આ ઉપાયોથી મળશે કાલસર્પ દોષમાંથી રાહત
- ગુજરાતના કૃષિ મંત્રી આવ્યો બ્રેઈન સ્ટ્રોક
- વલસાડના ધરમપુરમાં સ્કૂલ બસ સળગીને ખાખ 30 વિદ્યાર્થી, ત્રણ શિક્ષકનો બચાવ
અયોધ્યા જતી 'આસ્થા સ્પેશિયલ' પણ સલામત નહી, ગુજરાતમાં આ ટ્રેન પર પથ્થરમારો
Aastha Special Train
વંદે ભારત ટ્રેન પછી હવે આસ્થા સ્પેશિયલ ટ્રેન પણ સુરક્ષિત નથી. રવિવારે રાત્રે તોફાની તત્વોએ સુરતથી અયોધ્યા જતી ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. જોકે, આ ઘટનાને કારણે તમામ મુસાફરો ખૂબ જ ડરી ગયા હતા. આ ટ્રેનના મુસાફરો સૂવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે બેફામ તત્વોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
ગુજરાતના સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેનને અરાજકતાવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહી છે. રવિવારે આ ટ્રેન પર ભારે પથ્થરમારો થયો હતો. આ ટ્રેન સુરતથી રાત્રે આઠ વાગ્યે અયોધ્યા માટે રવાના થઈ હતી. જેવી આ ટ્રેન નંદુરબાર પહોંચી કે રાત્રે લગભગ 11 વાગ્યાના આસપાસ અચાનક ટ્રેન પર પથ્થરમારો શરૂ થઈ ગયો. જેના કારણે ટ્રેનમાં સવાર મુસાફરો ડરી ગયા હતા અને ઉતાવળમાં ટ્રેનની બારી અને દરવાજા બંધ કરવા લાગ્યા હતા. આમ છતાં ડઝનબંધ પથ્થરો ટ્રેનની અંદર પહોંચી ગયા. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
માહિતી મળતાં જ જીઆરપી અને આરપીએફ ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ બાદ ટ્રેનને રવાના કરી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જીઆરપી અનુસાર, આસ્થા સ્પેશિયલ ટ્રેન રવિવારે રાત્રે 8 વાગ્યે સુરતથી અયોધ્યા માટે રવાના થઈ હતી. આ ટ્રેનમાં કુલ 1340 મુસાફરો હતા. ટ્રેનમાં સવાર મુસાફરો ભોજન ખાઈને અને ભજન ગાતા સૂઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં સુધીમાં રાતના 11 વાગી ગયા હતા અને ટ્રેન નંદુરબાર પહોંચી હતી. ટ્રેન અહીં રોકાતા જ અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો.
અનેક બાજુથી ફેંકવામાં આવી રહ્યા હતા પથ્થર
મુસાફરોના જણાવ્યા અનુસાર ઘણી બાજુથી પથ્થરો ફેંકવામાં આવી રહ્યા હતા. એવી આશંકા છે કે પથ્થરબાજો માત્ર એક જ વ્યક્તિ નહીં પરંતુ અનેક લોકો હતા. અચાનક થયેલા આ પથ્થરમારાને કારણે મુસાફરો ડરી ગયા અને પોતાનો બચાવ કરવા લાગ્યા. મુસાફરોએ ઉતાવળમાં ટ્રેનની બારી અને દરવાજા બંધ કરી દીધા હતા. આમ છતાં કોચની અંદર અનેક પથ્થરો આવી ગયા. સદનસીબે આ પથ્થરોથી કોઈને ઈજા થઈ ન હતી. માહિતી મળતાં જ જીઆરપી અને આરપીએફની ટુકડી પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને થોડીવાર તપાસ કર્યા બાદ ટ્રેનને આગળ મોકલી હતી.
