સંબંધિત સમાચાર
- Corona Update Gujarat - કોરોનાના વળતા પાણી: આજે 185 નવા કેસ નોંધાયા, 3 ગણાથી વધુ લોકો થયા રિકવર
- કોરોનાના વળતા પાણી: આજે 228 નવા કેસ નોંધાયા, 874 લોકો થયા રિકવર
- ગુજરાત કોરોના અપડેટ: આજે 776 લોકોએ કોરોનાને આપી માત, 5 લોકોએ ગુમાવ્યા જીવ
- સુરતમાં ભાજપને કારણે આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરના છુટાછેડા, ધારાસભ્યએ ભાજપમાં જોડાવા 3 કરોડની ઓફર કરી
- શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમા ઘરવાપસી માટે કવાયત શરુ થઈ, ભરતસિંહ સોલંકીએ બાપુ સાથે મુલાકાત કરી
કોરોના પર કાબૂ: આજે 151 નવા કેસ નોંધાયા, માત્ર 02 મોત નોંધાયા
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 151 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 619 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,06,812 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.09 ટકાએ પહોંચ્યો હતો.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 5639 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 113 લોકો વેન્ટિલેટર પર છે. 5562 લોકો સ્ટેબલ છે. 8,06,812 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં કુલ 02 લોકોનાં મોત નિપજ્યાં છે. 10,034 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે.
આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 2 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 4,87,960 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
