સંબંધિત સમાચાર
- સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026: ગુજરાતમાં બે તબક્કામાં મતદાનની શક્યતા, 1 કે 2 એપ્રિલે થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત
- રાહુલ ગાંઘી કુંવારા છે તેઓ મહિલાઓને નથી સમજતા... BJP અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આ શું બોલ્યા
- ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 'વીવીઆઈપી' હલચલ; પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી માદરે વતન આવીને કરશે મતદાન
ચૂંટણી પહેલાં આક્ષેપબાજી: હર્ષ સંઘવીએ AAP પર લગાવ્યો રૂપિયા વહેંચવાનો આરોપ, ગીર સોમનાથમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ
harsh sangvi
નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આયોજિત એક ચૂંટણી સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે 'ઝાડુવાળા' દિલ્હીથી હવાલા મારફતે 20 કરોડ રૂપિયા લાવ્યા છે, જેનો ઉપયોગ ગામડાઓમાં અશાંતિ ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. સંઘવીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ નાણાંનો ઉપયોગ લોકોને 100-100 રૂપિયા વહેંચવા માટે થઈ રહ્યો છે.
'આપિયા-પાપિયા' અને કોંગ્રેસથી સાવધ રહેવા અપીલ
પોતાના સંબોધનમાં હર્ષ સંઘવીએ મતદારોને ભાવુક અને આક્રમક અપીલ કરતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓને કોઈએ ભૂલથી પણ પોતાના ગામમાં પ્રવેશવા દેવા જોઈએ નહીં. તેમણે નર્મદા જિલ્લામાં પણ મોટા પાયે નાણાંની હેરફેર થઈ હોવાનો દાવો કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં મતદારોને વિપક્ષોની લોભામણી જાહેરાતો કે નાણાંથી પ્રભાવિત ન થવા ચેતવણી આપી હતી.
VIDEO | Anand, Gujarat: Gujarat Deputy Chief Minister Harsh Sanghavi (@sanghaviharsh) spoke at the gathering, reaffirming commitment to farmers, youth, and infrastructure, while pointing out the disconnect between Congress leadership and the public.
— Press Trust of India (@PTI_News) April 20, 2026
(Source: Deputy CM Office)… pic.twitter.com/k9LrpDr2DN
ગીર સોમનાથમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ
બીજી તરફ, ગીર સોમનાથમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર નિશાન સાધ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે વિધાનસભામાં વિમલ ચુડાસમા આ વિસ્તારના પ્રશ્નો ઉઠાવવાને બદલે મૌન રહે છે અને વિસ્તારમાં જે પણ વિકાસ કાર્યો થાય છે તે માત્ર ભાજપના નેતાઓના પ્રયાસોથી જ થાય છે. આ પ્રહારને કારણે વેરાવળ પંથકમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
વિમલ ચુડાસમાનો ભાજપને સીધો પડકાર
જગદીશ વિશ્વકર્માના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકારને વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે લાઈવ પ્રસારણથી જ જનતાને ખબર પડશે કે કોણ લોકોના પ્રશ્નો ઉઠાવે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ભાજપના પ્રદેશ પ્રમુખે એક સીટ જીતવા માટે અહીં સુધી પ્રચારમાં આવવું પડે છે, તે જ તેમની (વિમલ ચુડાસમાની) લોકપ્રિયતા અને તાકાતનો પુરાવો છે.
