સંબંધિત સમાચાર
- ગુજરાતની શાળામાં રોબોટ શિક્ષકની એન્ટ્રી, વિદ્યાર્થીઓને મળી રહ્યો છે નવો અનુભવ
- શુ હતી રતન ટાટાની અંતિમ ઈચ્છા, કેવી રીતે થશે 3800 કરોડની વહેંચણી, કોણે શુ મળશે ?
- Waqf Amendment Bill Live Update - વક્ફ બિલ કોઈ ધર્મ વિરુદ્ધ નથી, આ ફક્ત સંપત્તિની વ્યવસ્થાનો મામલો
- મુસ્લિમો વકફ બિલથી કેમ નારાજ છે? સમગ્ર વિવાદને 5 મુદ્દામાં સમજો
- મુંબઈમાં મરાઠી ભાષાને લઈને અથડામણ, રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકરોએ હવે હિન્દી બોલવા બદલ ચોકીદારને માર માર્યો
Jaguar Crashes In Gujarat: જામનગરમાં જગુઆર ફાઇટરપ્લેન ક્રેશ, એક પાયલોટનું મોત
jaguar fighter jet crashes
ગુજરાતના જામનગરમાં બુધવારે ભારતીય વાયુસેના(Indian Air Force)નું એક જગુઆર ફાઇટર જેટ ક્રેશ થયું. આ અકસ્માતમાં એક તાલીમાર્થી પાઇલટે પોતાનો જીવ ગુમાવ્યો. જ્યારે બીજા એકનો બચાવ થયો હતો. જામનગરના એસપીએ આ વાતની પુષ્ટિ કરી છે. ગયા મહિને પણ હરિયાણાના અંબાલા જિલ્લામાં તાલીમ દરમિયાન એક જગુઆર વિમાન ક્રેશ થયું હતું.
એક પાયલોટ મિસિંગ
જામનગરના SP પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે વિમાનમાં બે પાઇલટ હતા. તેમણે જણાવ્યું હતું કે એક પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. જ્યારે બીજા તાલીમાર્થી પાયલોટનું મૃત્યુ થયું. આ પહેલા બીજા પાયલોટનો પત્તો લાગી શક્યો ન હતો.
Saddened to know about Indian Air Force #Jaguar fighter aircraft crashes in Jamnagar, Gujarat. One pilot is rescued as per media reports. Hoping for safety of pilot and locals. #Jamnagar #PlaneCrash pic.twitter.com/kuNKXhg8pR
— Dhanraj Nathwani (@DhanrajNathwani) April 2, 2025
અંબાલામાં જગુઆર વિમાન ક્રેશ થયું
ગયા મહિને, હરિયાણાના અંબાલા જિલ્લામાં તાલીમ દરમિયાન એક જગુઆર વિમાન ક્રેશ થયું હતું. ત્યારબાદ IAF એ કહ્યું કે પાઇલટે વિમાનને વસ્તીવાળા વિસ્તારથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. IAF એ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, અંબાલામાં નિયમિત તાલીમ ઉડાન દરમિયાન સિસ્ટમમાં ખામી સર્જાતા IAF જગુઆર વિમાન ક્રેશ થયું હતું.
જામનગર અકસ્માતની માહિતીની રાહ જોવાઈ રહી છે
પાઇલટે વિમાનને જમીન પરની કોઈપણ વસ્તીથી દૂર ખસેડ્યું અને સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો. IAF એ અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપ્યા છે. જામનગરમાં થયેલા અકસ્માત અંગે વધુ માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે. અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે વિમાન કેવી રીતે ક્રેશ થયું અને શું નુકસાન થયું.
