Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે પીએમ મોદી માનગઢની મુલાકાતે, ત્રણ રાજ્યોથી ઘેરાયેલા માનગઢનો આવો છે ઇતિહાસ

મંગળવાર, 1 નવેમ્બર 2022 (11:30 IST)
પ્રધાનમંત્રી 1 નવેમ્બર, 2022ના રોજ એટલે કે આજે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના માનગઢની મુલાકાત લઈ રહ્યા છે, જ્યાં તેઓ ભીલ આદિવાસીઓની એક સભાને સંબોધન કરવાના છે. 
 
માનગઢ હિલ એ અરવલ્લી પર્વતમાળાનો એક ભાગ છે અને સમૃદ્ધ જૈવવિવિધતા શ્રેણી ધરાવે છે. આ ટેકરી મહી નદી પરના કડાણા બંધની નજીક છે, મહી નદી રાજસ્થાનમાંથી નીકળે છે અને ગુજરાતની વસ્તીના ત્રીજા ભાગની વસ્તીને સિંચાઈ આપે છે. 
 
માનગઢનો વિસ્તાર રાજસ્થાનમાં ૧૩૫ હૅક્ટર અને ગુજરાતમાં ૧૫ હૅક્ટર સાથે અંદાજે ૧૫૦ હૅક્ટર છે. આ વિસ્તાર અન્ય ત્રણ રાજ્યોથી ઘેરાયેલો છે, જ્યાં ભીલની કુલ વસ્તી આશરે 12 કરોડ જેટલી છે, જે ચાર રાજ્યોના 36 જિલ્લાઓમાં ફેલાયેલી છે. તેમાંથી અંદાજે 3 કરોડ ભીલો માનગઢ સાઇટ સાથે જોડાણ ધરાવે છે. માનગઢ એ અનુસૂચિત આદિજાતિ વિસ્તાર અને સંરક્ષિત વન વિસ્તાર પણ છે.
 
રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં આદિવાસીઓની વસ્તી પથરાયેલી છે. રાજસ્થાનમાં તેઓ સિરોહી, રાજસમંદ, ઉદયપુર, ચિત્તૌરગઢ, ઉદયપુર, ડુંગરપુર, પ્રતાપગઢ અને બાંસવાડા જિલ્લામાં આવે છે, જેની વસ્તી ૪૨ લાખ ભીલ છે. ગુજરાતમાં તેઓ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ડાંગ, વલસાડ અને દાહોદ જિલ્લામાં આવે છે, જેની વસ્તી 42.7 લાખ ભીલ છે. મધ્ય પ્રદેશમાં તેઓ મંદસૌર, રતલામ, ઝાબુઆ અને અલીરાજપુર જિલ્લામાં આવે છે, જેની વસ્તી ૫૯.૯ ભીલ છે. છેવટે, મહારાષ્ટ્રમાં તેઓ નંદુરબાર, ધુલે, નાસિક, ઔરંગાબાદ, પાલઘર, અહમદનગર, જલગાંવ, થાણે, રાયગઢ અને પૂણે જિલ્લાઓમાં આવે છે. 
 
ત્યાં ત્રણ સ્મારકો છે જે આદિજાતિઓ અને ત્યાં થયેલા હત્યાકાંડની યાદમાં ટેકરી પર પહેલેથી જ બનાવવામાં આવ્યાં છે. એક શહીદ સ્મારક છે જેનું નિર્માણ 2003માં કરવામાં આવ્યું હતું, ગોવિંદ ગુરુને સમર્પિત એક પ્રતિમાનું ઉદ્ઘાટન 2008માં કરવામાં આવ્યું હતું અને 2017માં રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામ સંગ્રહાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. 
 
ગોવિંદ ગુરુ એક સામાજિક અને ધાર્મિક સુધારક હતા જેમણે ભગત ચળવળની પહેલ કરી હતી અને ભીલોમાં ઓળખરૂપ દરજ્જો મેળવ્યો હતો. તેમણે સ્વામી દયાનંદ સરસ્વતીના આદર્શોમાંથી પ્રેરણા લીધી હતી અને ૧૮૮૩માં સંપ સભાની સ્થાપના કરી હતી. તેમણે ભીલ ચળવળની આગેવાની લીધી હતી જે ૧૯૧૩ના માનગઢ હત્યાકાંડ તરફ દોરી ગઈ હતી. ૧૯૨૩માં તેમની મુક્તિ થઈ ત્યાં સુધી બ્રિટીશ દળો દ્વારા તેમને કબજે કરવામાં આવ્યા હતા. ૧૯૩૧માં તેમનું અવસાન થયું.  1770થી ભીલો બ્રિટિશરો સાથે આની સાથે ચાલી રહેલા બહુઆયામી સંઘર્ષમાં રોકાયેલા હતા. 
 
ગોવિંદ ગુરુએ એક ધાર્મિક મેળા માટે કરેલાં આહવાનના પ્રતિભાવરૂપે, ૧૭ નવેમ્બર, ૧૯૧૩ના રોજ માનગઢ ટેકરી પર ત્રણ રાજ્યો (રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશ)ના દોઢ લાખ ભીલો એકઠા થયા હતા. બ્રિટિશરોએ એકઠા થયેલા લોકો પર ગોળીબાર કર્યો હતો અને આશરે ૧૫૦૭ લોકો માર્યા ગયા હતા. રાજસ્થાનનાં મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને વિનંતી કરી છે કે, જ્યાં સ્મારકો અસ્તિત્વ ધરાવે છે એ 4 હૅક્ટર વિસ્તારને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ફરી મોડા આવ્યા

ગુજરાતી જોક્સ - અધિકારી સિપાઈઓ

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોક્સ - અધિકારી સિપાઈઓને આદમખોર

ગુજરાતી જોક્સ - મોડા આવ્યા છો.

આગળનો લેખ
Show comments