Webdunia - Bharat's app for daily news and videos

Install App

શંકરસિંહ વાઘેલાનો સનસનીખેજ દાવોઃ રૂપાણી સરકાર ચૂંટણીના પરિણામ બાદ થશે ઘરભેગી

મંગળવાર, 30 એપ્રિલ 2019 (16:00 IST)
ગુજરાતનાં રાજકારણનાં દીગ્ગજ નેતા અને હમણાં NCPમાં જોડાયેલ શંકરસિંહ વાઘેલાએ સનસનીખેજ દાવો કરતાં જણાવ્યું હતું કે જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાત  સહીત અનેક રાજ્યોમાં સરકાર બદલાઈ જશે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત અને મહારાષ્ટ્ર ભાજપનાં ઘણાં ધારાસભ્યો મારા સંપર્કમાં છે અને સરકાર બનવાની રાહ  જોઈ રહ્યા છે.  તેઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મને લાગી રહ્યું છે  જો કેન્દ્રમાં ભાજપની સરકાર નહીં રહે તો ગુજરાત સહીત અન્ય ઘણાં રાજ્યોમાં સરકાર બદલાઇ શકે છે.ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો લાંબા સમયથી દુઃખી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ભાજપનાં ધારાસભ્યોએ મારી સાથે મુલાકાત કરી હતી. શંકરસિંહ વાઘેલાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કેન્દ્રમાં સરકાર બદલાયા પછી ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર એક મહિનો પણ ટકી નહીં શકે. તેઓએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 10 બેઠકો મળશે તેવો દાવો પણ કર્યો હતો. જો કે શંકરસિંહ વાઘેલાના આ દાવાને ભાજપે નિરાધાર ગણાવ્યો હતો.ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે ગુજરાતનાં લોકોએ શંકરસિંહ વાઘેલાનાં જુઠ્ઠાંણાઓ સાંભળ્યા છે અને આ એક પાયાવિહોણો દાવો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલા મીડિયામાં ચમકવા માટે આ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સમયે વાઘેલાએ કોંગ્રેસમાંથી બળવો કર્યો હતો. તેમની સાથે કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ પણ રાજીનામાં આપ્યા હતા. લોકસભા ચૂંટણી અગાઉ તેઓ શરદ પવારનાં પક્ષ NCPમાં જોડાઈ ગયા હતા.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - મેડિકલ ખોલ

ગુજરાતી જોક્સ - શાંતિને બોલાવો

હાર્દિક પંડ્યા બીજીવાર કરશે લગ્ન, 22 મે ના રોજ પોતાનાથી 8 વર્ષ નાની માહિકા સાથે કરશે લગ્ન

કૂતરા પાળી લો .. અભિનેત્રીએ લગ્ન અને બાળકોના પ્રેશર પર યુવતીઓને આપી વિચિત્ર સલાહ, પોતે છે બે પુત્રોની મા

ગુજરાતી જોક્સ - મારુ ફોન નંબર છે

આગળનો લેખ
Show comments