Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sharad poonam -શરદપૂનમની પૂજન વિધિ

Updated: ગુરુવાર, 29 ઑક્ટોબર 2020 (08:16 IST)
30 ઓક્ટોબરે શરદપૂર્ણિમા છે. ધર્મશાસ્ત્રમાં તેને કોજાગરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.  પુરાણો મુજબ શરદ પૂર્ણિમાની રાત ભગવતી મહાલક્ષ્મી રાત્રે એ જોવા માટે ફરે છે કે કોણ જાગી રહ્યુ છે અને જે જાગી રહ્યુ છે મહાલક્ષ્મી તેનુ કલ્યાણ કરે છે અને જે સૂઈ રહ્યુ હોય છે તે મહાલક્ષ્મી નથી રોકાતી.  લક્ષ્મીજીને જાગ્રતિ 
(કોણ જાગી રહ્યુ છે)કહેવાના કારણે જ આ વ્રતનું નામ કોજાગરી પૂર્ણિમા કહેવામાં આવી છે. આ દિવસ વ્રત કરી માતા લક્ષ્મીનુ પૂજન કરવાનુ વિધાન પણ છે. ધાર્મિક ગ્રંથોમાં લખેલ શ્લોક મુજબ... 
 
निशीथे वरदा लक्ष्मी: को जागर्तिति भाषिणी।
जगाति भ्रमते तस्यां लोकचेष्टावलोकिनी।।
तस्मै वित्तं प्रयच्छामि यो जागर्ति महीतले।।
 
પૂજન વિધિ - આ વ્રતમાં હાથી પર બેસેલ ઈન્દ્ર અને મહાલક્ષ્મીનુ પૂજન કરીને ઉપવાસ રાખવો જોઈએ. રાતના સમયે માતા લક્ષ્મી સામે શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવીને ગંધ, ફૂલ વગેરેથી તેમની પૂજા કરો. ત્યારબાદ 11, 21 કે 51 પોતાની ઈચ્છા મુજબ દીવો પ્રગટાવી મંદિર, બાગ બગીચા, તુલસીની નીચે 
 
કે ભવનોમાં મુકવુ જોઈએ. સવાર થતા સ્નાન વગેરેથી પરવારીને દેવરાજ ઈન્દ્રનુ પૂજન કરી બ્રાહ્મણોને ઘી-ખાંડ મિશ્રિત ખીરનુ ભોજન કરાવીને વસ્ત્ર વગેરેની દક્ષિણા અને સોનાનો દીપક આપવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. 
 
આ દિવસે શ્રીસૂક્ત, લક્ષ્મી સ્ત્રોતનો પાઠ બ્રાહ્મણ દ્વારા કરાવીને કમળકાકડી બેલ કે પંચમેવા અથવા ખીર દ્વારા દશાંશ હવન કરાવવુ જોઈએ. આ વિધિથી કોજાગર વ્રત કરવાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને ધન ધાન્ય, માન-પ્રતિષ્ઠા વગેરે બધા સુખ પ્રદાન કરે છે. 

વધુ જુઓ..

હૈદરાબાદી પનીર માત્ર 10 મિનિટમાં બનાવો

નાસ્તામાં ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પનીર કટલેટ બનાવો; તે બાળકોના લંચ બોક્સ માટે પણ એક સંપૂર્ણ વિકલ્પ છે.

આખી રાત સૂવા છતાં દિવસે રહે છે થાક અને આળસ ? ક્યાંક તમારા શરીરમાં આર્યનની ઉણપ તો નથી ને, જાણી લો મુખ્ય લક્ષણ

પનીર પેપર ફ્રાય: મહેમાનો માટે બનાવો ટેસ્ટી અને મસાલેદાર સાઇડ ડિશ

રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ: નાળિયેર-માવા લાડુ

વધુ જુઓ..

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

મોદી ચાલીસા - શુ જીવતા લોકોની પૂજા-પાઠ અને કર્મકાન્દ કરવા યોગ્ય છે ? જાણો હિન્દુ ધર્મના નિયમ

સંતાન સુખની કામના કરનારા પુત્રદા એકાદશી પર જરૂર કરો આ ઉપાય, શ્રીકૃષ્ણનાં આ મંત્રને માનવામાં આવે છે લાભકારી

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 21 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments