Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રેષ્ઠ ફળ માટે આ સમયે જ કરવું શ્રાદ્ધ

બુધવાર, 12 ઑગસ્ટ 2020 (17:06 IST)
ભાદરવી પૂનમ સાથે જ શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઇ જય છે. હિંદુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના ૧૬ દિવસ દરમિયાન માંગલિક કાર્યા ટાળવામાં આવતા હોય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કિંમતી ચીજવસ્તુની ખરીદીનું પ્રમાણ ઘટી જતા હોય છે તેમજ જમીન-મકાનના સોદા ઉપર પણ સામાન્ય રીતે ટાળવામાં આવે છે. 
 
ઘણી વાર મૃત્યુતિથિ અને મહિનો બંનેનો ખ્યાલ ન હોય તો મહા અથવા માગસર અમાસના દિવસે શ્રાદ્ધ કરવું જોઇએ. ઘણીવાર આકસ્મિક મૃત્યુને કારણે નિશ્ચિત મૃત્યુતિથિ વિષે અજાણ હોવ તો મૃત્યુની બાતમી મળી તે દિવસે સ્વર્ગસ્થ સ્વજનનું શ્રાદ્ધ કરી શકાય છે. શાસ્ત્રવિદેના મતે ઘરમાં જો શ્રાદ્ધ કરવામાં આવે તો તીર્થની તુલનામાં આઠગણું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે.
 
શ્રાદ્ધ દરમિયાન સ્વચ્છ વાસણ-વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે તે ખૂબ જ જરૃરી છે.
શ્રાદ્ધમાં પિતરોને નૈવેધ ધરાવીને તેમને સંતુષ્ટ કરવા માટે મિષ્ટાન તરીકે ચોખાની ખીર બનાવવામાં આવે છે.
ખીરમાં ઉપયોગ લેવામાં આવેલા ઘટકોમાં સાકર મધુર રસની દર્શક, દૂધ ચૈતન્યનો સ્ત્રોત તેમજ ચોખા સર્વસમાવેશક તરીકે ઉપયોગમાં લેવાય છે.  
વાયુમંડળ શુદ્ધ થઇને પિતરોને શ્રાદ્ધસ્થાને પ્રવેશ કરવામાં સરળતા રહે તેના માટે શ્રાદ્ધમાં ભાંગરો-તુલસીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
 એક વાત વિશેષ અહીં કહું કે શ્રાદ્ધની ક્રિયા બપોરના ૧ર-૦૦થી ૧-૧પ વાગ્યા સુધીમાં કરવાથી તેનું શ્રેષ્ઠ ફળ જે તે જીવને પ્રાપ્ત થાય છે.

વધુ જુઓ..

50 પ્લસ વાળી મહિલાઓએ વજન ઘટાડવા માટે રોજ કેટલું ચાલવું જોઈએ ? આટલા સ્ટેપ્સ ચાલવાથી થશે વેટ લોસ

આ રીતે બનાવો ચટપટી પાવ- ભાજી- Pav Bhaji

Pregnancy Test માં એક રેખા Dark હોય અને બીજી ઝાંખી હોય તો તેનો શું અર્થ થાય છે? નિષ્ણાતો પાસેથી જાણો.

કેરીની ગરમી ઓછી કરવા માટે આ સરળ ટિપ્સનો ઉપયોગ કરો

Watermelon Kulfi Recipe - માત્ર 10 મિનિટમાં ઠંડી તરબૂચ કુલ્ફી

વધુ જુઓ..

Guru Pradosh 2026: ગુરૂ પ્રદોષમાં આ મુહૂર્તમાં કરો પૂજા, બધા કષ્ટ થશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -14 મે 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 13 મે 2026

Ekadashi Upay: દરેક કામમાં આવી રહ્યો છે અવરોધ ? અપરા એકાદશી પર કરો આ અચૂક ઉપાય, બધા દુઃખ થશે દૂર

હનુમાનજી ના પિતા નું નામ શું હતું, ગદા નું નામ શું હતું

આગળનો લેખ
Show comments