Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesh Chaturthi વિશેષ - મગની દાળના મોદક

શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (17:00 IST)
સામગ્રી - 2 કપ મગની દાળ, 50 ગ્રામ ગોળ, 1 ચમચી ઇલાયચી દાણા, 2 ચમચી ખાંડ(દળેલી) 1 કપ દૂધ, 1 ચમચી મીઠું, 3 કપ ચોખાનો લોટ, 4 કપ પાણી. 
 
બનાવવાની રીત - એક મોટી કઢાઈમાં 1 કપ પાણી લો અને તેમાં ગોળ મિક્સ કરો અને જ્યાંસુધી તે ઘટ્ટ ન થઇ જાય ત્યાંસુધી ગરમ કરો. 
 
હવે તેમાં અડઘો કપ દૂધ અને ઇલાયચીના દાણા નાંખો અને સામાન્ય આંચ પર 2-3 મિનિટ સુધી રાંધો. હવે કઢાઈમાં મગની દાળ અને 1 કપ પાણી નાંખો. કઢાઈ પર ઢાંકણ લગાવી દો અને લગભગ 7 મિનિટ સુધી મધ્યમ મધ્યમ આંચ પર રાંધો. જો કઢાઈમાં વધુ પાણી હોય તો તેને મોટી આંચ કરીને બાળી દો. 
 
ત્યાંસુધી ચોખાના લોટમાં ખાંડ અને ચપટી મીઠું મિક્સ કરો. ત્યારબાદ દૂધ અને 1 કપ ગરમ પાણી મિક્સ કરો અને લોટ બાંધી લો.
હવે લોટમાંથી લુઆ પાડી તેને હથેળી પર રાખી સપાટ કરી લો. પછી તેમાં મગની દાળની સામગ્રી ભરો અને મોદકનો આકાર આપો.
 
આ રીતે બધી સામગ્રીમાંથી મોદક તૈયાર કરો અને એક સ્ટીલના વાસણમાં રાખો. હવે પ્રેશર કૂકરમાં 4 કપ પાણી નાંખો અને તેમાં મોદક ભરેલું સ્ટીલનું વાસણ મૂકી દો. ચાર સીટી વાગે ત્યાંસુધી મોદક બાફી લો. જ્યારે વરાળ બહાર નીકળી જાય એટલે કૂકરનું ઢાંકણું ખોલી લો. તૈયાર છે ગણપતિદાદા માટે પ્રસાદ.

વધુ જુઓ..

આગ્રામાં ઘરના ફ્રિજમાં પ્રગટ થયા 'બર્ફાની બાબા' લોકોએ પૂજા-અર્ચના અને ચઢાવો શરૂ કર્યો, જુઓ Video"

નવી મુંબઈમાં પ્રેમી સાથે મળીને મહિલાએ પતિનું માથું કાપ્યું, મૃતદેહના ત્રણ ટુકડા કરીને જંગલના અલગ-અલગ ભાગોમાં ફેંક્યો

ચોમાસાના વિરામને કારણે આ રાજ્યોમાં ગરમી અને ભેજ વધશે, જાણો તમારા શહેરમાં હવામાન કેવું રહેશે?

Gold Silver Rate Today- આજે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ફેરફાર થયો; 24, 22 અને 18 કેરેટ સોનાના 10 ગ્રામના નવીનતમ ભાવ

અમદાવાદ 149 મી રથયાત્રા - જગન્નાથ મંદિરમાં આજે નેત્રોત્સવ વિધિ, જાણો શુ હોય છે નેત્રોત્સવ વિધિ

વધુ જુઓ..

15 જુલાઈથી શરૂ થશે અષાઢ ગુપ્ત નવરાત્રી, 8 દિવસની રહેશે અષાઢ ગુપ્ત નવરાત્રી

વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ ક્યારે છે ? જાણો ભારતમાં દેખાશે કે નહિ

આજનુ પંચાગ - જુલાઈ 14, 2026

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

જુલાઈમાં ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે? તેના ધાર્મિક મહત્વ વિશે જાણો

આગળનો લેખ
Show comments