Webdunia - Bharat's app for daily news and videos

Install App

International Women Day 2025 - મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે ? ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત

Women's Day

શુક્રવાર, 7 માર્ચ 2025 (11:53 IST)
દર વર્ષે 8 માર્ચના રોજ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય દિવસ  (International Women's Day)નુ આયોજન થાય છે. મનમાં સવાલ ઉભા થાય છે કે આ પરંપરાની શરૂઆત ક્યારથી થઈ ? સાથે જ મહિલા દિવસ મનાવવા પાછળ હેતુ શુ છે ? જો મહિલા દિવસ ઉજવાય છે તો પુરૂષ દિવસ કેમ નહી ?
 
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઈતિહાસની વાત કરીએ તો સૌ પહેલા આને વર્ષ 1909માં ઉજવવામાં આવ્યો. ત્યારબાદ આ દિવસને 1975માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે માન્યતા આપી.  પછી તો  દુનિયાભરમાં આને ઉત્સાહપૂર્વક ઉજવવાની શરૂઆત થઈ. 
 
આ દિવસ ઉજવવાનો મકસદ મહિલાઓ પ્રત્યે સન્માન, તેમની પ્રશંસા અને તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો છે. આ દિવસે ખાસ કરીને એ મહિલાઓ પ્રત્યે સન્માન પ્રગટ કરવામાં આવે છે. જેમણે આર્થિક રાજનીતિક અને સામાજીક ક્ષેત્રોમાં મુખ્ય ઉપલબ્ધિયો મેળવી છે.  ખાસ કરીને મહિલાઓના સંઘર્ષનો ઉલ્લેખ કરતા તેમની સફળતાની વાનગી રજુ કરવામાં આવે છે. 
તેનો મતલબ એ નથી કે આ દિવસે ચૂપચાપ જીવી રહેલી ઘરેલુ મહિલાઓનો ઉલ્લેખ જ નથી કરવામાં આવતો.   ઉલ્લેખનીય છે કે પુરજોશમાં દુનિયાભરમાં આ વાતને લઈને વિચાર વિમર્શ થાય છે કે મહિલાઓ પડદા પાછલ છે તેમને કેવી રીતે સમાજની મુખ્યઘારામાં લાવવામાં આવે. ખાસ કરીને દબાયેલી કચડાયેલી અને પીડિત મહિલાઓના ઉત્થાન અને વિમુક્તિકરણની દુનિયાભરમાં યોજનાઓ બને છે. 
 
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અસર પણ જોવા મળી રહી છે.  જે પ્રકારની આઝાદી અને ઉન્મુક્તતા આજની નારીમાં જોવા મળે છે. આવુ 10-20 કે પચાસ વર્ષ પહેલા નહોતુ. મહિલાઓએ સમયની સાથે પોતાની ઓળખ બનાવી છે.  જેની પાછળ અથાગ પરીશ્રમ અને સંઘર્ષની દાસ્તાન છે. આજે મહિલાઓ ગર્વ સાથે કહી શકે છે કે તે પુરૂષોના મુકાબલામાં બિલકુલ ઓછી ઉતરતી નથી. કોઈપણ કાર્યક્ષેત્ર કેમ ન હોય મહિલાઓની ભાગીદારીને સન્માન આપવામાં આવવા લાગ્યુ છે. 
કેવી રીતે શરૂઆત થઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની 
 
28 ફેબ્રુઆરી સન 1909ના રોજ પહેલીવાર અમેરિકામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો. તેમા સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ મુખ્ય ભૂમિકા ભજવી. ઉલ્લેખનીય છે કે એ દિવસો દરમિયાન ન્યૂયોર્કમાં કપડા મિલોમાં કામ કરનારી મહિલાઓ શોષણને કારણે ખૂબ પરેશાન હતી.  છેલ્લા એક વર્ષથી તેમની હડતાલ ચાલી રહી હતી અને તેમનુ સાંભળનારુ કોઈ નહોતુ. તેમના આ સંઘર્ષને સમર્થન આપતા 28 ફેબ્રુઆરી 1909ના રોજ સોશિલિસ્ટ પાર્ટીએ તેમને સન્માનિત કર્યા. પોતાના દમ પર મહિલા ગાર્મેંટ વર્કર્સે ત્યારે કામના કલાક અને સારા પગારની પોતાની લડાઈમાં જીત મેળવી હતી. 
 
બીજી બાજુ રૂસમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ફેબ્રુઆરી મહિનના અંતમાં 1913ના રોજ ઉજવાયો હતો. આ મહિલાઓએ પ્રથમ વિશ્વ યુદ્ધનો વિરોધ કરવા માટે આ દિવસ મનાવ્યો હતો. આ જ રીતે યૂરોપમાં 8 માર્ચના રોજ પીસ એક્ટિવિસ્ટસના સમર્થનમાં મહિલાઓએ રેલીઓ કાઢી. આ સાથે જ યૂરોપમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો પાયો નખાયો. 
 
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ત્યારે વૈશ્વિક સ્તર પર માન્યતા મળી જ્યારે સન 1975માં પહેલીવાર યૂનાઈટેડ નેશન્સે 8 માર્ચના રોજ આ દિવસ સેલિબ્રેટ કર્યો. 
 
તેના એક પગલુ આગળ વધતા સન 2011માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ માર્ચ મહિનાને મહિલાઓના મહિના ના રૂપમાં માન્યતા આપી. ત્યારબાદ અમેરિકામાં માર્ચનો આખો મહિનો મહિલાઓની મહેનત અને સફળતાને લઈને સન્માનિત કરવાની પરંપરા શરૂ થઈ. 
 
ભારતમાં મહિલા દિવસને લઈને સરકારી અને બિનસરકારી સ્તર પર અનેક કાર્યક્રમોનુ આયોજન થાય છે.  જેમા પુરૂષોની મુખ્ય ભાગીદારી હોય છે. કહેવા માટે  તો ભારતમાં પુરૂષ પ્રધાન સમાજ છે 
આ મિથકને મહિલાઓ હવે તોડવા માંડી છે. જેમા પુરૂષોનુ પણ પુર્ણ સમર્થન તેમને મળી રહ્યુ છે. મહિલા દિવસ કાર્યક્રમોમાં પુરૂષો તરફથી ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવે છે. જો કે મજાકમાં જ પણ પુરૂષો પણ હવે એ સવાલ કરવા માંડ્યા છે કે આ જ રીતે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ કેમ નથી ઉજવાતો... ?

વધુ જુઓ..

રામ મંદિર ચોરીના કેસમાં બીજા રાઉન્ડમાં 10 લોકો SITના રડાર પર, અનિલ મિશ્રાની કરવામાં આવશે પૂછપરછ, ચંપત રાયની ફરી પૂછપરછ

ગુજરાતમાં મેઘતાંડવની આશંકા: આગામી 5 દિવસ ભારે, 8 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર

Rathyatra History - જગન્નાથપુરી રથયાત્રા અને અમદાવાદની રથયાત્રાનો ઈતિહાસ, જાણો કોણે શરૂ કરી રથયાત્રા

Vegetarian City: ભારતનું એક અનોખું શહેર, જ્યાં ઈંડા વેચવા પર પણ તમને જેલ થઈ શકે છે! તેનું નામ જાણીને તમને નવાઈ લાગશે.

Ayodhya Ram Mandir Donation Scam- દાન ચોરીના આરોપો બાદ ભક્તોએ પોતાની પદ્ધતિ બદલી, જાણો દાન પર શું અસર પડી?

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

આગળનો લેખ
Show comments