Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુશાંત કેસમાં આવશે નવો વળાંક? સોશિયલ મીડિયામાંથી ડિલીટ કરાયેલા ચેટ-ઈમેલની કરશે તપાસ

સોમવાર, 8 નવેમ્બર 2021 (11:58 IST)
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput) મૃત્યુની તપાસને આખરી ઓપ આપવામાં થોડો વધુ સમય લાગી શકે છે કારણ કે MLAT દ્વારા માહિતીનું આદાનપ્રદાન એક લાંબી અને સમય માંગી લેતી પ્રક્રિયા છે.
 
કોઈ કસર છોડવા માંગતા નથી’
ગૃહ મંત્રાલય (MHA) એ એમએલએટી હેઠળ આવી માહિતી પ્રાપ્ત કરવા અથવા શેર કરવા માટે ભારતમાં કેન્દ્રીય સત્તા છે. અમેરિકામાં એટર્ની જનરલની ઓફિસે આવી માહિતી શેર કરી છે. નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આ બાબતને અંતિમ સ્વરૂપ આપતા પહેલા અમે કોઈ કસર છોડવા માંગતા નથી. અમે જાણવા માંગીએ છીએ કે આવી કોઈ ચેટ અથવા પોસ્ટ છે કે જે આ બાબતે ઉપયોગી સાબિત થઈ શકે.
 
તપાસ એજન્સીએ કહ્યું કે ડેટા મેળવીને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે 14 જૂન (2020)ના રોજ આત્મહત્યાની ઘટના પાછળનું કારણ શું હોઈ શકે.
એમએલએટી (Mutual Legal Assistance Treaty) હેઠળ કેલિફોર્નિયા સ્થિત ગૂગલ અને ફેસબુક પાસેથી માહિતી માંગવામાં આવી છે. સીબીઆઈએ ગુગલ અને ફેસબુકને અપીલ કરી છે કે સુશાંતની ડિલીટ કરાયેલી ચેટ, ઈમેઈલ અથવા પોસ્ટની વિગતો શેર કરે. જેથી તેનું વિશ્લેષણ થઈ શકે અને કોઈ નિષ્કર્ષ પર પહોંચવામાં મદદ મળી શકે. ભારત અને યુએસ પાસે એમએલએટી છે. જેના હેઠળ બંને પક્ષો કોઈપણ સ્થાનિક તપાસ અંગેની માહિતી મેળવી શકે છે. જે સામાન્ય રીતે શક્ય ન પણ હોય. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ગરમી અને પરસેવાને કારણે થાઈ રૈસેસ થી કેવી રીતે બચશો ? જાણી લો કયા ઉપાય કરવા

વાસી રોટલી શાક

શક્કરિયાની પાઈ (Sweet Potato Pie) રેસીપી

દૂધ દરેક માટે નથી હોતું લાભકારી, જાણો કોણે દૂધ ન પીવું જોઈએ ?

Birthday Wishes For Boss- જન્મદિવસની શુભેચ્છાઓ બોસ માટે

આગળનો લેખ
Show comments