Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hair Care : લાંબા અને મજબૂત વાળ માટેની ટિપ્સ

શનિવાર, 27 ફેબ્રુઆરી 2021 (18:50 IST)
બીયર પીધા બાદ જો બોટલમાં થોડી બીયર વધે તો તેને ફેંકી દેવાને બદલે તમારા વાળ માટેનું કંડીશનર બનાવી લો. કેટલાંક લોકો આ વાંચીને ચોંકી ગયા હશે કે વળી બીયરથી કેવી રીતે હેર કંડીશનિંગ થઇ શકે! પણ આ શક્ય છે. આને લગાવવાથી તમારા વાળમાં મજબૂતીની સાથેસાથે ચમક પણ આવશે અને વાળ ભરાવદાર બનશે, ખરતા અટકશે અને ખોડો પણ દૂર થશે. જાણીએ તેના પ્રયોગ વિષે...
 
1. પ્રાકૃતિક હેર કંડીશનરનો પ્રભાવ ઇચ્છતા હોવ તો વાળને પહેલા બીયરથી ધુઓ અને પછી સામાન્ય ગરમ પાણથી. આનાથી તમારા વાળ મુલાયમ બનશે.
 
2. જો વાળને ચમકીલા અને ભરાવદાર બનાવવા હોય તો તેને બીયર અને સફરજનના સરકાના મિશ્રણ સાથે ધુઓ. આ મિશ્રણ શેમ્પૂ કર્યા બાદ જ વાળ પર લગાવો.
 
3. બીયરના કપમાં થોડું જોજોબા ઓઇલ મિક્સ કરો. તેને વાળના મૂળમાં સારી રીતે લગાવો અને થોડીવાર પછી વાળ સારી રીતે ધોઇ લો.
 
4. જો તમારે વધુ સારું પરિણામ જોઇતું હોય તો બીયરની બોટલને એક આખી રાત ખુલ્લી મૂકી દો. સવારે તેને ગરમ કરો અને તેમાં થોડો લીંબુનો રસ અને 2 ટેબલ સ્પૂન મધ મિક્સ કરો. તેને વાળમાં 15 મિનિટ સુધી લગાવી રાખો અને પછી સારી રીતે ધોઇ લો.
 
5. નિસ્યંદિત પાણી, લીંબુનો રસ, બીયર અને સરકાને એકસાથે મિક્સ કરી શેમ્પૂ કરેલા વાળ પર લગાવો. થોડીવાર રહેવા દઇ વાળ ધોઇ લો.
 
6. જો વધારે મથામણ કરવા નથી ઇચ્છતા તો સીધા શેમ્પૂ અને પાણી સાથે બીયર મિક્સ કરી લગાવી દો. તેનાથી વાળ તો મજબૂત બનશે જ સાથે કોમળ પણ થશે.
 
7. બીયરમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને માલટોસ હોય છે જે વાળની દેખરેખ માટે મહત્વની સામગ્રીઓ ગણાય છે. તેમાં બાયોટિન પણ હોય છે જે ટાલ દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ખોડો ભગાડે છે. માલટોસ વાળને મજબૂતી અને વિટામિ સી પ્રાકૃતિક ચમક આપે છે.

વધુ જુઓ..

દેવ સ્નાન બાદ બીમાર થયા ભગવાન જગન્નાથ, આટલા દિવસો સુધી મંદિરનાં કપાટ રહેશે બંઘ, જાણો ક્યારે થશે મહાપ્રભુના દર્શન ?

જર્મનીના સ્ટેડમાં ગોળીબારમાં પાંચ લોકોના મોત; એક હુમલાખોરની ધરપકડ

સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઘટાડો થયો હતો, જેમાં સેન્સેક્સ 370 પોઈન્ટ ઘટીને અને નિફ્ટી 24,000 ની નીચે બંધ થયો હતો.

કેનેડાએ દક્ષિણ આફ્રિકાને એક જ ગોલથી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.

ભગવાન જગન્નાથની દેવ સ્નાન યાત્રા: 108 ઘડામાંથી પવિત્ર જળથી ભવ્ય અભિષેક, અને હાથીના વેશમાં દર્શન

વધુ જુઓ..

દેવ સ્નાન બાદ બીમાર થયા ભગવાન જગન્નાથ, આટલા દિવસો સુધી મંદિરનાં કપાટ રહેશે બંઘ, જાણો ક્યારે થશે મહાપ્રભુના દર્શન ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 જૂન 2026

ભગવાન જગન્નાથની દેવ સ્નાન યાત્રા: 108 ઘડામાંથી પવિત્ર જળથી ભવ્ય અભિષેક, અને હાથીના વેશમાં દર્શન

20+ Vat Savitri Vrat 2026 Wishes: વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ મોકલીને આ દિવસને બનાવો સ્પેશ્યલ

Purnima June 2026: આજે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરશે વટ ​​સાવિત્રી પૂર્ણિમાનું વ્રતજાણો શુભ મુહૂર્ત, મહત્વ અને વ્રત કથા

આગળનો લેખ
Show comments