Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ-વારાણસીનું એરફેર ચાર ગણું વધીને રૃ. ૧૧ હજારે પહોંચ્યું

શનિવાર, 13 જાન્યુઆરી 2018 (12:59 IST)
આસ્થાનું પર્વ મકરસંક્રાતિ ૧૪ જાન્યુઆરીએ રવિવારે ઉજવાશે. આ પર્વમાં ગંગાસ્નાનું પણ ખૂબ જ મહાત્મ્ય છે, જેના પગલે અમદાવાદ-વારાણસીના વન-વે એરફેરમાં ચાર ગણો વધારો થતાં તે રૃપિયા ૧૧ હજાર સુધી પહોંચી ગયું છે. સામાન્ય દિવસોમાં અમદાવાદ-વારાણસીનું વન-વે એરફેર રૃ. ૩૫૦૦ની આસપાસ હોય છે. જેની સરખામણીએ શુક્રવારે રાત સુધીમાં આ એરફેર રૃ. ૧૦૮૦૦ સુધી પહોંચી ગયું છે. આમ, મકરસંક્રાતિ વખતે છેલ્લી ઘડીએ વારાણસીમાં ગંગાસ્નાનનું આયોજન થયું હોય તો ચાર ગણું એરફેર ચૂકવવું પડી શકે છે. આ ઉપરાંત ૧૪ જાન્યુઆરીએ તામિલનાડુમાં પોંગલનું પર્વ ઉજવાય છે. જેના કારણે ૧૩ જાન્યુઆરી માટે અમદાવાદ-ચેન્નાઇનું એરફેર રૃ. ૮૭૦૦ થી રૃ. ૧૦૬૦૦ વચ્ચે છે. સામાન્ય દિવસોમાં આ એરફેર રૃ. ૩૫૦૦થી રૃ. ૪ હજાર હોય છે. મકર સંક્રાતિએ પશ્ચિમ બંગાળમાં આવેલા ગંગાસાગરમાં સ્નાનનું મહત્વ છે. જેના કારણે ૧૩ જાન્યુઆરીએ અમદાવાદ-કોલકાતાનું એરફેર રૃ. ૯૫૦૦ સુધી પહોંચી ગયું છે. સામાન્ય દિવસોમાં આ એરફેર રૃ. ૩૭૦૦ની આસપાસ હોય છે.
 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - મારુ ફોન નંબર છે

Gujarati jokes husband wife- હંસવાનો ચાલુ રાખો બેસ્ટ જોક્સ

Shani Shingnapur Mandir: એક એવું ગામ જ્યાં ઘરોના મુખ્ય દરવાજા બંધ નથી હોતા, બેંકોને પણ ક્યારેય તાળા લાગતા નથી

Mouni Roy Suraj Nambiar Divorce - મૌની રોય-સૂરજ નાંબિયારના ડાયવોર્સ પર ટ્રોલ થઈ દિશા પાટની, લાગ્યો ઘર તોડાવવાનો આરોપ

Jokes તમને કેટલી પત્નીઓ છે?

આગળનો લેખ
Show comments