Webdunia - Bharat's app for daily news and videos

Install App

વધતી જતી જનસંખ્યા - ભારતની સમસ્યા વસ્તીવિસ્ફોટ -વિશ્વની ગંભીર સમસ્યા

મંગળવાર, 11 જુલાઈ 2023 (15:15 IST)
વધતી જતી જનસંખ્યા - ભારતની સમસ્યા વસ્તીવિસ્ફોટ -વિશ્વની ગંભીર સમસ્યા 
 
મુદ્દા 1 - વસ્તીવધારો થવાના કારણો 2. વસ્તીવધારો શાથી 3. વસ્તીવિસ્ફોટ: વિશ્વની ગંભીર સમસ્યા  4. વસ્તી નિયંત્રણના માર્ગો 5. વસ્તી શિક્સણા: એક સચોટ ઉપાય 6. ઉપસંહાર
 
લોકશાહીને વરેલા ભારત દેશની આજે જો કોઈ સૌથી મોટી સમસ્યા હોય તો તે બેફામપણે વધતી જતી વસ્તીની સમસ્યા છે. દરા દોઢા સેક્ન્ડે એક બાળકનો જન્મ થાયા છે એ હિસાબે ગણીએ તો દરા મિનિટે  40, દર કલાકે 2400 અને ચોવી કલાકમાં જ 57,600 બાળકો આ દેશની વસ્તીમાં ઉમેરાયા છે. આ ગણતરી આગળા વધારીઓ તો, દરા મહીની 17 લાખા 28 હજારા બાળકો આ દેશમાં પેદા થાય છે અને વરસે દહાડે 2 કરોડા 10 લાખા બાળકો જન્મે છે. તેમાંથી સરેરાશ 80 લાખા માણસો મરતા હશે તેને બાદા કરીએ તો પણ  1 કરોડ અને 30 લાખ નવા જીવો, સમસ્યાના પોટલા લઈને આપણી વચ્ચે હાજર થઈ જાય છે. મતલબા કે દર વર્ષે એક ઑ"સ્ટ્રેલિયા ખંડ"  ભારતમાં નવો ઉભા થાયા છે. અર્થાત ઓસ્ટ્રેલિયા ખંડની કુલ વસ્તી જેટલી જનસંખ્યા ભારતમાં દર વર્ષે ઉમેરાતી જાય છે. 
 
અત્યારે(ઈ.સ. 2000માં) ભારતની કુલા વસ્તી 100 કરોડનો આંકડો તો વટાવી ગઈ . આ 100 કરોડમાંઠી લગભગા અડધા (48.5 ટકા જેટલા) લોકો તો ગરીબીની રેખા નીચે જીવે છે. અર્થતા એમને બે ટંકા  ખાવાનુય નથી મળતુ, અંગા ઢાંકવા વસ્ત્રોય નથી મળ્તા અને કહેવા માટે ઘરનુ ઘરા કહેવાય એવુ છપરું ય નથી. દર ચાર માણસે ફકતા બે માણસને પેટ ભરીને ખાવાનુ મળે છે. એક જણ અર્ધો ભૂખ્યો રહે છે ને એક તદ્દન ભૂખ્યો સૂઈ જાય છે! આ સ્થિતિ છે આજના ભારતની! હવે એમાં ઉપરા જણાવ્યા તે 1 કરોડા અને 30 લાખા નવા ઉમેરાયા છે તેમનુ ખાવાપીવાનુ, ભણવા-ગણવાનુ, પહેરવા-ઓડ્જવાનુ અને રહેવા -ફરવાનિ શું કરવુ. બહુ મોટી આ સમસ્યા છે. જે ભારતના અર્થતંત્રને છિનભિન્ન કરી રહી છે અને એની ઉત્પાદન ક્સમતા, પ્રગતિ, ઔદ્યોગીકરણ, વિકાસના માર્ગો બધાયની વચ્ચે એક જબરજસ્ત મોટો અંતરાય બનીને ઉભી રહી ગઈ છે! 
 
વધતી જતી વસ્તીને નિયંત્રણમાં રાખવા કે નાથવા માટે આપણી સરકાર વર્ષે દહાડે કરોડો રૂપિયા ખર્ચે છે. કુટુંબનિયોજનો કાર્યક્રમો પાછળા અને કુટુબ કલ્યાણની યોજનાઓ પાછળા પાણીના મૂલે પૈસા વેરે છે. છતાં વસ્તીવધારાના રાક્ષસ તો ચાલતો જ જાયા છે. અણુ બોમ્બના વિસ્ફોટ કરતાંય વધુ ખતરનાક ગણાય એવો આ વસ્તી વિસ્ફોટ ભારતના ભાવિ ધૂધળું અને કમજોર બનાવી રહ્યો છે. એક અંદાજા મુજબા તો પ્રતિવર્ષ જે નવી વસ્તી ઉમેરાતી જાયા છે તેને ખવડાવવા માટે 1,25,45000 ક્વીંટલા અનાજા લાવવુ પડે કે પેદા કરવુ પડે! એમને માટે 1,87,44,000 મીટર કાપડ જ જોઈએ. આટલા જા બાળકો થોડા મોટા થાયને નિશાળે જતા થાય તો એમને માટે 1,26,500 શાળાઓ દર વર્ષે નવી ખોલવી પડે ને તેમાં3,72,500 નવા શિક્ષકોની ભરતી કરવી પડે! ટૂંકમાં આપણુ તો જે થવાન હોય તે થાય પણ આ નવા જનમનારાઓ માટે દર વર્ષે આપણે સરકારને કઈકા કરવુ પડે તે કરવા જતા આપણો દએશા પાયમાલ થઈ જાય. 
 
વસ્તીવધારાની  આ સમસ્યાએ આપણી ઉંઘ ઉડાડી દીધી છે. આનો ઉપાયા શોધવા સરકારીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ મેદાને પડી ચે. કુટૂંબનિયોજનના સુખદા પરિણામા પ્રાપ્ત ના થયા તેથી લોકો (યુવાનો અને ભાવિ નાગરિક) અત્યારથી જા સમજપૂર્વક નાનુ કુટુંબા સુખી કુટુંબએ આદર્શએ જીવનમાં ઉતારે તે માટે વસ્તીશિક્ષણ (population education)નો એક નવો વિષયા શિક્ષણક્ષેત્રે દાખલ કરાયો છે.  

Edited By-Monica Sahu 

વધુ જુઓ..

"હવે સમય આવી ગયો છે... ", વૈભવ સૂર્યવંશીને લઈને વીરેન્દ્ર સહેવાગે આવું કેમ કહ્યું ?

SRH vs RR IPL Eliminator: રાજસ્થાને 47 રનોથી નોંઘાવી જીત, ક્વાલીફાયર 2 માં પાક્કું કર્યું પોતાનું સ્થાન

જિયોનો નવો OTT પાસ : 200 રૂપિયામાં 15 OTT, 1000 થી વધુ ટીવી ચેનલ અને 30GB ડેટા

LRD ઉમેદવારો માટે મોટા સમાચાર: લેખિત પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારથી ડાઉનલોડ કરી શકાશે કોલલેટર

અમદાવાદમાં ઇબોલા વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ: આફ્રિકાથી આવેલા દર્દીને સિવિલમાં કરાયો આઇસોલેટ, અન્ય 11 લોકો નજર હેઠળ!

વધુ જુઓ..

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

એકાદશી મંત્ર

Purushottami Ekadashi 2026: આજે પુરુષોત્તમ એકાદશી પર ચૂપચાપ કરી લો આ ઉપાય, વિષ્ણુ અને લક્ષ્મીનાં મળશે આશીર્વાદ, આર્થિક તંગીથી મળશે મુક્તિ

Aajnu Panchang- આજનુ પંચાગ -27 મે 2026

આગળનો લેખ
Show comments