Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેરીનું શાક બનાવવાની આ નવી રેસીપી ટ્રાય કરી છે

ગુરુવાર, 26 એપ્રિલ 2018 (10:05 IST)
આજે અમે તમને કાચી કેરીનુ શાક બનાવવાની રેસીપી બતાવીશુ. આ રેસીપી સાઉથ ઈંડિયનની જાણીતી ડિશ છે. આ કાચી કેરીમાંથી બનાવાય છે. ગુજરાતમાં પણ આ શાક પ્રખ્યાત છે. આ શાકને થેપલા કે મુઠિયા સાથે ખાઈ શકાય છે.  આવો જાણીએ તેને બનાવવાની રીત. 
 
સામગ્રી - કાચી કેરી 1 કપ, સમારેલો ગોળ 1/2 કપ, લાલ મરચુ 3-4 ચમચી, રાઈ 1/2 ચમચી, કઢી લીમડો 9-10, છીણેલુ નારિયળ 1/2 કપ, લીલા ધાણા 4-5 મીઠુ સ્વાદમુજબ. 
 
બનાવવાની રીત - કાચી કેરીનુ શાક બનવવા માટે સૌ પહેલા એક વાડકામાં પાણી ભરી લો. પછી તેમા સમારેલી કાચી કેરીના ટુકડા નાખો.  હવે તેને ગેસ પર ત્યા સુધી ઉકાળો જ્યા સુધી કેરી બફાઈ ન જાય. 
 
હવે એક વાડકામાં પાણી લો અને ગોળ નાખીને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.  પેસ્ટ બનાવ્યા પછી તેને ગાળીને અલગ મુકી દો.  હવે જોઈ લો કે ગેસ પર મુકેલી કેરી બફાય ગઈ છે કે નહી. જો બફાય જાય તો તેનુ પાણી નિતારી તેને અલગ મુકો અને મિક્સરના જારમાં નાખીને વાટી લો.  ત્યારબાદ મિક્સરમાં લાલ મરચુ અને નારિયળની પણ પેસ્ટ બનાવી લો.  હવે એક પેનમાં થોડુ તેલ ગરમ કરીને તેમા રાઈ અને કઢી લીમડો નાખો. 
 
પછી તેમા ગોળવાળુ પાણી અને કેરીની પેસ્ટ નાખી ઉકાળો. તેમા એક કપ પાણી અને થોડુ મીઠુ નાખો. પછી મરચુ અને નારિયળની પેસ્ટ નાખી ઉકાળી લો.   તમારુ કાચી કેરીનુ શાક બનીને તૈયાર છે.  તમે ખીચડી અને રોટલી સાથે ખાઈ શકો છો. 

વધુ જુઓ..

હવામાન વિભાગની મોટી આગાહી: દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, ઉકાઈ ડેમમાં પાણીની બંપર આવક, ભારે વરસાદના પગલે અમરેલીના 5 તાલુકામાં શાળાઓમાં રજા

અહીં મારી જ ચાલે છે ... લક્ષ્મી નારાયણ ચંપત રાય પર સુવર્ણ રામચરિતમાનસ આપવાનો આરોપ મૂકે છે.

દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત 13 રાજ્યોમાં આજે વાવાઝોડા અને વરસાદ તબાહી મચાવશે; IMD એ ચેતવણી જારી કરી છે

શું રામ મંદિરમાં 'નો-પોકેટ' ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશે? જાણો ભારતના કયા મંદિરોમાં પહેલાથી જ ડ્રેસ કોડ છે.

એક ટેકરી પરથી એક મોટો પથ્થર ચાલતી બસ પર પડ્યો, જેમાં એકનું મોત થયું અને ચાર ગંભીર રીતે ઘાયલ થયા.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 6, 2026

Yogini Ekadashi 2026: જુલાઈમા પહેલી અગિયારસ ક્યારે છે ? જાણો તિથી, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 5, 2026

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

આગળનો લેખ
Show comments