Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Remedies - માઈગ્રેનથી બચવાના ઉપાયો

હેલ્થ ટિપ્સ - માઈગ્રેનથી બચવાના ઉપાયો

Updated: શનિવાર, 17 ફેબ્રુઆરી 2018 (13:06 IST)
કામ કે બીજી કોઈ તકલીફના કારણે તમારા માથાનો દુઃખાવો રહે છે.માથાનો દુખાવોના કારણે  કામ નહી કરી શકો કે કામ ભૂલી જાઓ છો તો આ તમારા માટે ખતરાની ઘંટી છે.  કારણ કે આ દુ:ખાવો માઈગ્રેન જેવા ગંભીર રોગોને જન્મ આપે છે. આથી જ્યારે આવું થાય તો ડાકટરી તપાસ કરાવી લેવી જોઈએ. કેટલાક લોકો માથાના દુ:ખાવાને સામાન્ય સમજી  પેઇન કિલરનું સેવન કરે છે . પણ આ ગોળીઓ માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યાથી છુટકારો આપવાની બદલે સમસ્યાને જટિલ બનાવે છે. 
 
શું કાળજી રાખો?
 
શક્ય હોય ત્યાં સુધી,ડૉક્ટરની સલાહ વગર પેઈનકિલર લેશો નહી અને ન તો તેનો ઓવરડોઝ લો. ડોકટરોની સલાહ મુજબ જ માઈગ્રેનના દુ:ખાવાની  દવાનો ઉપયોગ કરવો. પેનકિલર્સ જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ લો. થોડા દુ:ખાવામાં મેડિસન લેવાની ટેવ છોડી દો. પેનકિલરના બદલે મલમ, સ્પ્રે કે જૈલથી પણ દુ:ખાવામાં રાહત મળે છે.
 
માઈગ્રેનના કારણ : માઈગ્રેનના ઘણા કારણો છે , જેમ તણાવ ,પૂરતી ઊંઘ,આંતરસ્ત્રાવીય બદલાવો,વધારે લાઈટ,તેજસ્વી સૂર્યપ્રકાશ, કબજિયાત, દવાઓ, નશીલી દવાઓ કે ખોરાક, હવામાન ફેરફાર, કોફી, તૈયાર ખોરાક અને ચોકલેટનો વધુ પડતા સેવન વગેરે .
માઈગ્રેન નિવારણ
 
- આંખ પર દબાણ નાખે એવા કાર્ય ન કરવા જેમ કે સતત વાંચવુ, ટીવી જોવી, વીડિયો ગેમ્સ, કમ્પ્યુટર પર કામ કરવુ વગેરે.
 
- લાંબા સમય સુધી ભૂખ્યા નહી રહેવું. સવારે સમયસર નાસ્તો લો.
 
- વધારે નહી ખાવું. ભારે ભોજન કે ફાસ્ટ ફૂડ ટાળો.
 
- માંસાહારી ખોરાક ઘટાડો. દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓનો ઉપયોગ ઘટાડો.
 
- દારૂ, સિગારેટ, પાન મસાલાનો ઉપયોગ બંધ કરો. કોઈપણ નશીલી વસ્તુ ન લો.
- વધુ ચોકલેટ,કે ચિગમ  નહિં ખાવી.
 
- ટી,કાફીનો પ્રયોગ ઓછો કરવો.
 
- આહારમાં મરચાં-મસાલા ઓછા કરો. 
 
- પૌષ્ટિક આહાર લો જેમાં ફળો અને લીલા શાકભાજી પર ભાર મૂકો . 
 
- સૌથી વધુ અગત્યનું ચિંતાઓમાંથી દૂર રહેવાનો પ્રયાસ કરો.
 
- સીધો સૂર્યપ્રકાશ અને ઠંડીથી બચો. 
 
- મન શાંત કરવા માટે કસરત અને ધ્યાન કરો.
 
- માખણ અને ખાંડ(મિશ્રી)સાથે ખાવું .
 
- કપાળ પર વાટેલા લીંબુના છાલની પેસ્ટ લગાવવી.

વધુ જુઓ..

આઈફોન કર્યો ઓર્ડર, પાર્સલમાં નીકળ્યું તેલ, કંજ્યુમર ફોરમે ફિલ્પકાર્ટ અને વિક્રેતા પર લગાવ્યો તગડો દંડ

શેરબજારમાં ઉથલપાથલ! સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 23,650 થી નીચે ગયો, રોકાણકારોએ એક જ ઘટાડામાં 4 લાખ કરોડ ગુમાવ્યા

સોનમ વાંગચુકે 26 દિવસ પછી ઉપવાસ તોડ્યા, હોસ્પિટલમાં મંત્રી નડ્ડા અને જીતેન્દ્ર સિંહ સાથે મુલાકાત બાદ લેવાયો નિર્ણય

નવસારી-વલસાડમાં જળબંબાકાર, સુરતમાં ભૂકંપનો ઝાટકો: સ્થાનિક તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ

વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર અડધી સદી: પ્રથમ T20I માં ઝિમ્બાબ્વે સામે ભારતનો 7 વિકેટે વિજય

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 જુલાઈ 2026

એકાદશીના દિવસે, તુલસી પાસે દીવો પ્રગટાવીને કરો આ મંત્રોનો જાપ, દુઃખ અને દરીદ્રતાથી મળશે મુક્તિ

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

ગૌરી વ્રતની આરતી- 2

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

આગળનો લેખ
Show comments