Webdunia - Bharat's app for daily news and videos

Install App

કિચન સિંકમાં ભરી જાય છે પાણી, તો તરત કરો આ કામ, તરત દૂર થશે પરેશાની

મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (18:57 IST)
kitchen sink cleaning Tips: વાસણ ધોતા સમયે સિંકના પાઈપમાં ખાવા-પીવા કે કોઈ વસ્તુ ફંસવાથી આ સિંક પાઈપ બ્લૉક થઈ જાય છે. તેથી સિંકમાં પાણી ભરાઈ જાય છે અને તેમાં દુર્ગંધ આવવા લાગે છે. તેને સરળતાથી સાફ કરી શકાય છે. 
Simple Kitchen Hacks: આજકાલ વધારેપણુ ઘરોમાં રસોડામાં વાસણ ધોવા માટે સિંક હોય છે. તેનાથી એક બાજુ વાસન ધોવા સરળ થાય છે. તેમજ ઘણી વાર પરેશાનીઓ પણ આવે છે. વધારેપણુ કિચનમાં એક સમસ્યા ખૂબ સામાન્ય છે અને તે છે સિંકનો ભરી જવુ. હકીકતમાં વાસણ ધોતા સમયે સિંકના પાઈપમાં  ખાવા-પીવા કે કોઈ 
 
વસ્તુ ફંસવાથી આ સિંક પાઈપ બ્લૉક થઈ જાય છે. તેથી સિંકમાં પાણી ભરાઈ જાય છે અને તેમાં દુર્ગંધ આવવા લાગે છે. જો તમારા રસોડામાં પણ આ સમસ્યા આવે છે તો આ સમાચાર તમારા માટે જ છે. આજે અમે તમને રસોડા સાફ કરવાની કેટલીક સરળ ટ્રિક્સ અને ટિપ્સ જણાવી રહ્યા છે. 
 
બેકિંગ સોડા 
બેકિંગ સોડાનો ઉપયોગ કરીને તમે કિચનના સિંકને સાફ કરી શકો છો. તેના માટે તમે એક કપ ગરમ પાણીમાં 1-2 ચમચી બેકિંગ સોડા કે લીંબુનો રસ મિક્સ કરી પાઈપમાં નાખી દો. થોડી વાર પછી પાણીથી તેને સાફ કરી લો. આવુ કરવાથી તેની દુર્ગંધ પણ દૂર થઈ જશે. ચીકાશ પણ ઓછી થઇ જશે અને ગંદકી પણ સાફ થાય છે.
 
 
ઈનો અને લીંબુ 
કિચનના સિંકને સાફ કરવા માટે ઈનો અને લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકાય છે. તેના માટે લીંબુના રસમાં એક પેકેટ ઈનો નાખી મિશ્રણ બનાવી લો. તેને સિંકના પાઈપમાં નાખો. થોડી વાર પછી સિંકને પાણીથી ધોઈ લો. આવુ કરવાથી પણ સિંકનો પાઈપ સાફ થઈ જશે અને દુર્ગંધ પણ નહી રહેશે. 
 
ખાવા પીવાની વસ્તુ ન જવા દો 
જો સિંકના પાઈપ વાર -વાર બ્લૉક થાય છે તો તમને થોડો સાવધાન રહેવાની જરૂર છે. પરંતુ ઘણી વાર કોઈ કારણોસર સિંક ભરાઈ જાય છે અને તેમનું સામાન્ય કારણ વાસણ ધોતી વખતે સિંકમાં કચરો પડવો અથવા ખોરાક ફસાઈ જવો વગેરે.

વધુ જુઓ..

ગુજરાત ATSનું મોટું ઓપરેશન: રથયાત્રા પૂર્વે જૈશ-એ-મોહમ્મદના કથિત 8 આતંકીઓ ઝડપાયા

પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ: સાણંદમાં દેશના સૌથી મહત્વપૂર્ણ CG SEMI પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

મેઘરાજા રૌદ્ર સ્વરૂપે: ગુજરાતના 225 તાલુકા પાણી-પાણી, માંગરોળમાં આભ ફાટતા 22.24 ઇંચ વરસાદ

1 લિટર ઇથેનોલ બનાવવા માટે કેટલું પાણી વપરાય છે? કેન્દ્ર સરકારે સત્ય જાહેર કર્યું અને આ દાવાઓને ફગાવી દીધા.

કેતન હત્યા કેસમાં આરોપી સિયા અને ચેતનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

વધુ જુઓ..

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments