શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : બુધવાર, 17 ઑગસ્ટ 2022 (00:56 IST)

Cockroach Remedies: શુ તમારા ઘરમાં પણ ફરી રહ્યા છે કોકરોચ તો આ ઉપાયથી મળશે તરત જ છુટકારો

Cockroach
Cockroach Remedies:આપણા ઘરના રસોડામાં મોટાભાગે વંદા જોવા મળે છે. આ બિનઆમંત્રિત મહેમાનો તેમના પોતાની હાજરીથી રસોડાનો  દેખાવ બદલી નાખે છે. જો તમારા રસોડામાં કોકરોચ છે તો તમારે સાવધાન રહેવું જોઈએ. કારણ કે  રસોડામાં કોકરોચ હોવાને કારણે, તમને તમારા સ્વાસ્થ્યથી લઈને ઘણી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. તે નાળુ અને ગટરમાંથી બહાર નીકળીને તમારા ઘર સુધી પહોંચે છે, પછી તે તમારા ભોજન સુધી ફરતા રહે છે, જેના કારણે હાનિકારક બેક્ટેરિયા આ ભોજન સુધી પહોંચે છે, જે માનવ શરીર માટે હાનિકારક છે. તેથી ઘરના રસોડામાંથી વંદાનેબહાર કાઢવા જરૂરી બની જાય છે. તો જો તમારા રસોડામાં કે ઘરમાં વંદા છે તો આ ઘરેલું ઉપાયોથી તરત જ તેનાથી છુટકારો મેળવો.
 
લીમડાના પાનથી કોકરોચના ત્રાસથી મળશે છુટકારો 
લીમડાના ઝાડના અનેક ફાયદા છે. જો તમે ઘરમાંથી કોકરોચથી છુટકારો મેળવવા માંગતા હોય તો આ લીમડો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. વંદા ભગાડવા માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળો અને પછી તે લીમડાના પાણીને વંદાઓના સ્થાન પર છાંટો. આ ટ્રિકથી રસોડામાંથી કોકરોચ દૂર થઈ જશે.
 
કેરોસીન વડે કોકરોચથી છુટકારો મેળવો
જો તમે તમારા રસોડામાંથી કોકરોચથી છુટકારો મેળવવા માંગો છો, તો તમે કેરોસીન તેલનો સહારો લઈ શકો છો. એક રેખા દોરો જ્યાં વંદો સૌથી વધુ દેખાય. પછી ત્યાં કેરોસીન છાંટવું. કેરોસીનની વાસના કારણે રસોડામાંથી કોકરોચ ભાગી જશે.
 
ખાવાનો સોડા  છે ખૂબ અસરકારક
બેકિંગ સોડા ઘરમાંથી વંદા દૂર કરવામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમને કોકરોચ બહુ પરેશાન કરી રહ્યા હોય તો બેકિંગ સોડામાં ખાંડ મિક્સ કરીને મિશ્રણ બનાવો. આ પછી આ મિશ્રણ જ્યાં વંદા વધુ આવે ત્યાં  મૂકો. ખાંડ કોકરોચને આકર્ષિત કરશે પરંતુ તેને ખાવાનો સોડા સાથે ભેળવીને તેમના માટે ઝેરનું કામ કરશે અને તે મરી જશે.