Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 ઓગસ્ટ વિશે નિબંધ

Updated: બુધવાર, 5 ઑગસ્ટ 2026 (16:47 IST)
સ્વતંત્રતા દિવસ (15મી ઓગસ્ટ) પર નિબંધ

પ્રસ્તાવના

ભારતનો 15મી ઓગસ્ટનો દિવસ દરેક ભારતીય માટે ગૌરવ અને આનંદનો દિવસ છે. આ દિવસે વર્ષ 1947માં ભારતે લગભગ 200 વર્ષના બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી હતી. સ્વતંત્રતા દિવસ આપણને દેશ માટે બલિદાન આપનારા અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને શૌર્યની યાદ અપાવે છે. આ દિવસ માત્ર ઉજવણીનો જ નહીં, પરંતુ દેશપ્રેમ અને રાષ્ટ્રપ્રતિની ફરજો નિભાવવાનો સંકલ્પ લેવાનો પણ દિવસ છે.
 

સ્વતંત્રતા દિવસનું મહત્વ

 
સ્વતંત્રતા દિવસ આપણને સ્વતંત્ર જીવન જીવવાનો અધિકાર મળ્યાની ખુશીનો દિવસ છે. મહાત્મા ગાંધી, શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ અને અનેક મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનથી આપણો દેશ આઝાદ બન્યો હતો. તેમના ત્યાગને યાદ કરીને આપણે દેશ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.

સ્વતંત્રતા દિવસની ઉજવણી

દર વર્ષે 15મી ઓગસ્ટના રોજ દેશભરમાં ઉત્સાહપૂર્વક સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી ભારતના વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને દેશને સંબોધન કરે છે. દેશભરમાં શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ અને વિવિધ સંસ્થાઓમાં ધ્વજવંદન, દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ અને ભાષણોનું આયોજન કરવામાં આવે છે. લોકો એકબીજાને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવે છે અને તિરંગાનો માન રાખવાનો સંકલ્પ લે છે.
ALSO READ: જીવનમાં રમતગમતનું મહત્વ નિબંધ

યુવાનોની જવાબદારી

 
દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે. સાચી સ્વતંત્રતાનો અર્થ માત્ર આઝાદી મેળવવો નથી, પરંતુ દેશના વિકાસમાં યોગદાન આપવું પણ છે. દરેક નાગરિકે કાયદાનું પાલન કરવું, પર્યાવરણનું રક્ષણ કરવું, ભ્રષ્ટાચારથી દૂર રહેવું, શિક્ષણને પ્રોત્સાહન આપવું અને રાષ્ટ્રની એકતા તથા અખંડિતતા જાળવવા પ્રયત્ન કરવો જોઈએ.
 

સ્વતંત્રતાનું મૂલ્ય

સ્વતંત્રતા અમૂલ્ય છે. તેની કદર ત્યારે જ થાય છે જ્યારે આપણે તેના માટે આપવામાં આવેલા બલિદાનોને યાદ રાખીએ. દેશના જવાનો સરહદ પર દિવસ-રાત દેશની સુરક્ષા માટે કાર્યરત રહે છે, તેથી આપણે પણ આપણા કર્તવ્યો પ્રત્યે જાગૃત રહેવું જોઈએ.
ALSO READ: ગુજરાતી નિબંધ - ડા. બાબા સાહેબ આંબેડકર

ઉપસંહાર

 
સ્વતંત્રતા દિવસ આપણને દેશપ્રેમ, એકતા અને રાષ્ટ્રસેવાની પ્રેરણા આપે છે. આ પવિત્ર દિવસે આપણે સૌએ સંકલ્પ લેવો જોઈએ કે દેશની પ્રગતિ, શાંતિ અને સમૃદ્ધિ માટે હંમેશા કાર્ય કરીશું અને આપણા રાષ્ટ્રધ્વજ તથા બંધારણનું સન્માન જાળવી રાખીશું. સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાઓનું ભારત બનાવવા માટે દરેક નાગરિકે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ.
 
જય હિંદ! વંદે માતરમ

વધુ જુઓ..

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણ સ્પેશિયલ- પનીર મલાઈ મટર: કાંદા-લસણ વગર બનાવો હોટેલ જેવી ગાઢ અને સ્વાદિષ્ટ ગ્રેવી

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

Evening Snacks Ideas: સાંજના નાસ્તાને બનાવો હેલ્ધી અને ટેસ્ટી, ઘરે જ બનાવો બટાકા-પનીર-સ્વીટકોર્ન સેન્ડવિચ

સવારે ખાલી પેટ આ 3 વસ્તુઓનું કરો સેવન, તમારા શરીરને મળશે અઢળક ઉર્જા, જાણો શુ છે ફિટનેસનુ સિક્રેટ

વધુ જુઓ..

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

Dashama Vrat 2026- દશામાં ના વ્રત ક્યારે છે

Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર

આગળનો લેખ
Show comments