Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં એનઆરઆઇનું દાન સ્વિકારવાનું બંધ થઈ ગયું

Updated: બુધવાર, 2 જાન્યુઆરી 2019 (12:38 IST)
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર આવકની દૃષ્ટીએ રાજયનુ પ્રથમ ધાર્મિક સ્થાન છે. અને દેશભરના વધુ આવકો ધરાવતા સ્થાનોમાં પણ તેની ગણના થાય છે.મંદિર ટ્રસ્ટના સત્તાવાળાઓ દ્વારા એફસીઆરએને સમયસર રીન્યુ ન કરાતા ભારત સરકારના નાણાં મંત્રાલયે મંદિર ટ્રસ્ટનું  એનઆરઆઇ ખાતુ બંધ કરી દીધુ હતુ.
આ અંગે નાણા મંત્રાલય દ્વારા વારંવાર નોટીસ આપવા છતાં ટ્રસ્ટના બેદરકાર સત્તાવાળાઓએ ધ્યાન ન આપ્યુ અને ખાતુ બંધ થઈ જવાથી મંદિર ટ્રસ્ને લાખો કરોડો રૃપિયાની આવક ગુમાવવાનો વારો આવ્યો સત્તાવાળાઓએ ધ્યાન ન આપ્યુ અને ખાતુ બંધ થઈ જવાથી મંદિર ટ્રસ્ને લાખો કરોડો રૃપિયાની આવક ગુમાવવાનો વારો આવ્યો અને દંડ પેટે નાણા મંત્રાલયને પાંચ લાખથી પણ વધુ રકમનો દંડ ટ્રસ્ટે ભરવો પડશે. આના માટે જવાબદાર એવા અધિકારી સામે શા માટે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી તે ઉડી તપાસનો વિષય છે. મંદિર ટ્રસ્ટમાં કાયમી વહીવટદાર ન હોવા કારણે બધા મનફાવે તે રીતે વર્તી રહ્યા છે.
જેના કારણેયાત્રીકોમાં મંદિર વિશેની ખોટી છાપ ઉભી થાય છે. યાત્રીકોની ફરીયાદો સાંભળનાર પણ કોઈ નથી સરકારે તાત્કાલીક ધોરણે કાયમી વહીવટદાર મુકે તેવી માંગ યાત્રીકોમાંથી ઉઠવા પામેલ છે. એફસીઆરએ રીન્યુ ન થવાના કારણે મંદિર ટ્રસ્ટને લાખો રૃપિયાનુ નુકશાન થવા પામ્યુ છે. તથા જે તે જવાબદાર અધિકારીએા બેદરકારી દાખવી છતાં તેવા અધિકારીસામે શા માટે કાર્યવાહી કરવામાં ન આવી તે ચર્ચાસ્પદ બનવા પામ્યુ છે.
 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

ગુજરાતી જોક્સ - શ્રાવણમાં સોમવારનું વ્રત

મીનાવાડા ગામ દશામાનુ મંદિર

પ્રીતિ ઝિંટાએ અમિતાભ બચ્ચનના બર્થડે વિશનો ન આપ્યો જવાબ, KBC ના સેટ પર બિગ બી એ કરી ફરિયાદ, બતાવ્યા પુરાવા

રમનદીપ સિંહે અભિનેત્રી ચાર્લી ચૌહાણ સાથે કર્યા લગ્ન, જશ્નમાં ક્રિકેટ જગતના કલાકારોની હાજરી

આગળનો લેખ
Show comments