Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કરો હનુમાનજીના આ ઉપાય

શનિવાર, 7 ડિસેમ્બર 2019 (13:52 IST)
હિન્દુ ધર્મમાં બધા દેવી દેવતાઓમાંથી ભોલેનાથ ઉપરાંત ફક્ત હનુમનાજીને કળયુદના દેવ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ બજરંગબલી ભગવાન શંકરના  જ અવતાર હોવાથી તે પણ તેમની જેમ જ અમર છે.   
 
ધાર્મિક પુરાણોમાં હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે. એવુ કહેવાય છે કે પવનપુત્ર હનુમાન પોતાના ભક્તોના બધા  પ્રકારના સંકટો પોતે જ દૂર કરે છે.   શુ તમે જાણો છો કે વાસ્તુ શાસ્ત્રમાં પણ આ વાતનુ વર્ણન છે કે હનુમાનજીના શુભ પ્રભાવથી ઘરના બધા વાસ્તુ દોષ દૂર થાય છે. તેના મુજબ જેટલુ ફળ તેમની પૂજા વગેરેથી મળે છે એટલુ જ વાસ્તુની દ્રષ્ટિથી ઘરમાં હનુમાનજીની ફટો હોવાથી લાભની પ્રાપ્તિ થાય છે અને નકારાત્મક ઉર્જાનો ખાત્મો થાય છે.  આ ઉપરાંત હનુમાનજીની કૃપાથી મંગળ શનિ અને પિતૃ દોષથી પણ મુક્તિ મળે છે.  તો આવો જાણીએ પવનપુત્ર હનુમાનન તમને કેવી રીતે લાભ આપે છે તેના વિશે જાણકારી.. 
 
વાસ્તુ વિશેષજ્ઞો મુજબ ડ્રોઈંગ રૂમમાં રામ દરબારની જેમા હનુમાનજી રામજીના ચરણોમાં બેસ્યા હોય એવી તસ્વીર લગાવવી જોઈએ. તેનાથી પરિવારના સભ્યોમા પરસ્પર પ્રેમ વિશ્વાસ સ્નેહ અને એકતા વગેરે વધે છે. 
 
- ઘર પરિવારના સભ્યોની ધાર્મિક ભાવના કાયમ રાખવા માટે શ્રી રામનુ કીર્તન કરતા હનુમાનજીનુ ચિત્ર લગાવવુ જોઈએ.   માન્યતા છે કે તેનાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર વિશ્વાસ પણ મજબૂત થાય છે. 
 
- ઘરના કોઈપણ્ણ ભાગના દક્ષિણ દિશામાં હનુમાનજીનુ લાલ રંગની બેસેલી મુદ્રામાં ચિત્ર લગાવો. તેનાથી નકારાત્મક ઉર્જા અને ખરાબ તાકતો દૂર થાય છે. અને ધીરે ધીરે ઘરમાં સુખ શાંતિ આવવા માંડે છે. 
 
- મુખ્યદ્વાર પર પંચમુખી હનુમાનજીની પ્રતિમા લગાવવાથી ઘરમાં કોઈપણ પ્રકારની ખરાબ શક્તિ પ્રવેશ નહી કરી શકે. 
 
- જેવુ કે બધા જાણે છે કે રામ ભક્ત હનુમાનજી બાલ બ્રહ્મચારી છે. તેથી તેમની ઉપાસનામાં પવિત્રતાનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. તેથી ભૂલથી પણ તેમનો ફોટો બેડરૂમમાં ન લગાવ્શો. 
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ સીડીઓ નીચે રસોડામાં કે અન્ય કોઈ અપવિત્ર સ્થાન પર તેમનો ફોટો ક્યારેય ન લગાવવો જોઈએ તેનાથી અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. 
 
જો આપને એવો અનુભવ થાય છે કે તમારા ઘરમાં કોઈપ્રકારનો વાસ્તુદોષ છે તો આપ  ઘરમાં હનુમાન ચાલીસા સુંદરકાંડ અને હનુમાનષ્ટકનો પાઠ જરૂર કરાવો.  

 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

1 લિટર ઇથેનોલ બનાવવા માટે કેટલું પાણી વપરાય છે? કેન્દ્ર સરકારે સત્ય જાહેર કર્યું અને આ દાવાઓને ફગાવી દીધા.

કેતન હત્યા કેસમાં આરોપી સિયા અને ચેતનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

1 જુલાઈથી 6 મુખ્ય નિયમો બદલાયા: આધાર, પાસપોર્ટથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, તમારા ખિસ્સા પર સીધી અસર.

Explainer: રામ મંદિર ટ્રસ્ટમાં કોણ કોણ સામેલ છે ? જાણો બધા સભ્યોના નામ અને તેમના અધિકાર

ઈ-રિક્ષા બંધ કરાવનાર BAT-BMS એપ સામે સરકારે કડક કાર્યવાહી કરી, તેને દૂર કરવાના આદેશ, જાણો સમગ્ર મામલો

આગળનો લેખ
Show comments