Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - ઘરમાં હોય મની પ્લાંટ તો રાખો આ ધ્યાન, નહી તો ફાયદાને બદલે થશે નુકશાન

રવિવાર, 15 માર્ચ 2020 (16:47 IST)
મોટાભાગના ઘર અને ઓફિસમાં મની પ્લાંટનો છોડ જરૂર જોવા મળે છે.  આ છોડ વિશે એવી માન્યતા છે કે આ છોડને લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ્ત હાય છે અને પૈસો આવે છે. પણ માહિતીના અભાવને કારણે  ઘણા લોકો મની પ્લાંટનો છોડ લગાવતી વખતે કેટલીક ભૂલો કરી બેસે છે.  વાસ્તુ શાસ્ત્રમાં દરેક છોડને લગાવવાની દિશા બતાવી છે. જો છોડ યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો વ્યક્તિને ફાયદો થાય છે. બીજી બાજુ જો છોડ ખોટી દિશામાં લગાવાય તો છોડ વ્યક્તિની પરેશાની વધારી દે છે.  વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાંટની છોડની દિશા વિશે બતાવ્યુ છે જેનુ ધ્યાન જરૂર રાખવુ જોઈએ. 
 
- મની પ્લાંટને ક્યારેય પણ ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણામાં ન મુકો.  મની પ્લાંટના છોડ માટે આ દિશા સૌથી નકારાત્મક દિશા માનવામાં આવે છે. આ દિશામાં તેને મુકવાથી આર્થિક નુકશાનની શક્યતા વધી જાય છે. 
 
- મની પ્લાંટના છોડને ક્યારેય પણ કરમાવવા ન દેશો.   તેને રોજ પાણી પીવડાવો. કારણ કે છોડનુ સુકાય જવુ ઘર માટે સારુ રહેતુ નથી. 
 
- મની પ્લાંટની બેલને ક્યારેય પણ જમીન પર ન ફેલાવવા દો.  તેને દિવાલની મદદથી ઉપરની તરફ વધવા દેવી જોઈએ. તેનાથી ધન સંપદામાં વૃદ્ધિ થાય છે. 
 
આ દિશામાં મની પ્લાંટ મુકવાથી થાય છે ફાયદો 
 
- વાસ્તુશાસ્ત્ર મુજબ મની પ્લાંટના છોડને અગ્નિ દિશા એટલે કે દક્ષિણ પૂર્વમાં જ મુકવુ સૌથી સારી દિશા હોય છે. આ દિશા જળ તત્વની દિશા માનવામાં આવે છે. અને આ દિશાનો પ્રતિનિધિ છે શુક્ર ગ્રહ.  અહી મુકેલો મની પ્લાંટ સુખ સમૃદ્ધિ વધારે છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

PM Kisan Beneficiary Status 2026: આ રીતે ચેક કરો રૂ.2000 તમારા ખાતામાં આવ્યા કે નહી ? જાણો સંમ્પૂર્ણ રીત

વુમેંસ ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં કેવી રીતે પહોચશે ટીમ ઈંડિયા ? અત્યાર સુધી બની રહ્યા છે આ સમીકરણ

બે વર્ષ પહેલાં, શુભમે સાત ફેરા લીધા અને પછી પત્નીને ચાર ગોળી મારી; દિલ્હીના સંગમ વિહારમાં આઘાતજનક હત્યા

રામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત રાય બરતરફ, ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપ્યું

કેતનની હત્યા નિષ્ફળ જતા ચેતનનો ગુસ્સો ફાટ્યો, સિયાને કહી દીધા ખતરનાક શબ્દો

આગળનો લેખ
Show comments