Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips : આજે જ ઘરમાં મૂકી ડો આ વસ્તુ, પૈસાની મુશ્કેલી થશે દૂર, લક્ષ્મી કાયમ કરશે ઘરમાં વાસ

Updated: શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2025 (23:26 IST)
Dhan Prapti Ke Upay: ઘણી વાર ઘણી મહેનત પછી પણ લક્ષ્મી ઘરમાં રહેતી નથી. ઘર અને પરિવારમાં હંમેશા પૈસાની સમસ્યા રહે છે. જો તમારા ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો આજે જ આ વસ્તુઓ તમારા ઘરમાં મુકો. વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુઓને ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર, આ વસ્તુઓ ઘરમાં મુકવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે છે. તો આવો જાણીએ એવી  ધનને આકર્ષિત કરતી વસ્તુઓ વિશે. 
 
કોડીઓ - માતા લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય છે. આવામાં, પાંચ કોડી લો અને તેમને હળદરનું તિલક લગાવો. તે કોડીઓ દેવી લક્ષ્મીના ચિત્ર અથવા મૂર્તિ પાસે મુકો. જ્યોતિષીઓના મુજબ મંદિરમાં કોડી મુકવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે છે.
  
હળદર - આજે જ તમારી તિજોરીમાં હળદરની એક ગાંઠ મુકો. આ ઉપાય કરવાથી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે છે. માન્યતાઓ અનુસાર, હળદર ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે અને જ્યાં નારાયણ રહે છે, ત્યાં દેવી લક્ષ્મી પણ રહે છે. તો આજે જ હળદરના આ ઉપાયો ચોક્કસ અજમાવો.
 
ચાંદીનો સિક્કો - 
હળદર ઉપરાંત, તિજોરીમાં ચાંદીનો સિક્કો મુકવાથી પણ ઘરમાં પૈસાની કમી રહેતી નથી. તિજોરી ઉપરાંત, તમે ચાંદીના સિક્કાને તે જગ્યાએ પણ મૂકી શકો છો જ્યાં તમે પૈસા મુકો  છો. તમને જણાવી દઈએ કે તમારે દરરોજ ચાંદીના સિક્કા પર કંકુ લગાવીને તેને ફરી તેના એ સ્થાન પર મુકવાનો છે.   
 
તુલસીનો છોડ
 - હિન્દુ ધર્મમાં, તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં દેવી લક્ષ્મી હંમેશા નિવાસ કરે છે. તુલસીને જળ ચઢાવીને તેની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા બની રહે છે.  
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

આગળનો લેખ
Show comments