સંબંધિત સમાચાર
- Vastu Tips: વર્ષ 2025 ના પહેલા અઠવાડિયામાં કરો આ વાસ્તુ ઉપાય, આખુ વર્ષ મળશે લાભ, ઘરમાં રહેશે પોઝિટિવ એનર્જી
- Vastu Tips: ઘરમાં ભૂલથી પણ આ ૩ સ્થાન પર ન મુકશો પૈસા, જમા રકમ થઈ જશે સ્વાહા
- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવાર... જાણો સંપૂર્ણ વિધિ અને વ્રત કથા
- નવા ઘરમાં પ્રવેશ ક્યારે કરવો? આ દિવસે ન કરશો ગૃહ પ્રવેશ, છિનવાય જશે ખુશીઓ
- પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ
Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?
Vastu Tips: પતિ-પત્ની વચ્ચે નાની-મોટી નોંક ઝોંક એક સામાન્ય વાત છે. પણ જ્યારે આ લડાઈ વારેઘડીએ થાય છે તો પતિ-પત્ની વચ્ચે નાની-મોટી લડાઈ થવી એક સામાન્ય વાત છે. પણ જ્યારે આ ઝગડો વારંવાર થાય અને સંબંધો વચ્ચે તનાવ વધવા માંડે તો આ ચિંતાનો વિષય બની જાય છે. આવામાં શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આ સમસ્યાઓની પાછળ તમારા ઘરનુ વાસ્તુ દોષ પણ એક કારણ હોઈ શકે છે ? વાસ્તુ શાસ્ત્ર જે ઘરની ઉર્જા અને તેના પ્રભાવોનુ પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે એ બતાવે છે કે ઘરની દિશા, સજાવટ અને અન્ય પહેલુઓનો પ્રભાવ ત્યાર રહેનારાઓના જીવન અને સંબંધો પર પડે છે.
પતિ-પત્ની વચ્ચે તણાવ વધારનારા સામાન્ય વાસ્તુ દોષ
બેડરૂમની ખોટી દિશા
જો બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં નથી તો આ પતિ-પત્નીના સંબંધોમાં અસ્થિરતા અને તણાવ પેદા કરી શકે છે. આ દિશા સ્થિરતા અને સામંજસ્યનુ પ્રતિક છે.
Mirror
દર્પણની ખોટી સ્થિતિ
બેડરૂમમાં અરીસો બેડની એકદમ સામે લગાવવાથી બચવુ જોઈએ. આવુ કરવાથી નકારાત્મક ઉર્જા વધે છે, જે ઝગડા અને અસહમતિનુ કારણ બને છે.
તૂટેલુ ફર્નીચર - ફર્નીચર તૂટેલુ કે ખરાબ થવુ ઘરમાં નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. જેનાથી સંબંધોમાં અવરોધ આવી શકે છે.
દિવાલોનો રંગ - ઊંડા અને ભડકીલા રંગ તનાવ અને અસહમતિને પ્રોત્સાહન આપી શકે છે. બેડરૂમમાં સાધારણ શાંત રંગોનો ઉપયોગ સંબંધોને મધુર બનાવવામાં મદદ કરે છે.
ઉત્તર-પૂર્વ દિશામાં ગંદકી
ઘરની ઉત્તર પૂર્વ દિશાનુ વાસ્તુમાં ખૂબ મહત્વ છે. આ ક્ષેત્રમાં ગંદકી કે અવ્યવસ્થા સંબંધોમાં ખટાશનુ કારણ બની શકે છે.
મુખ્ય દ્વાર નો દોષ
મુખ્ય દ્વારની ખોટી દિશા કે તેના પર કાળા રંગનુ પેંટ સંબંધો પર નકારાત્મક પ્રભાવ નાખી શકે છે.