Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chandra Grahan- ચંદ્રગ્રહણની પૌરાણિક કથા- વાંચવાથી ગ્રહણ દોષ દૂર થાય છે

બુધવાર, 26 મે 2021 (08:35 IST)
પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું, ત્યારે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે અમૃત પીવા માટે વિવાદ શરૂ થયો, તેના સમાધાન માટે ભગવાન વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ લીધું. મોહિનીના રૂપમાં, બધા ભગવાન અને દાનવો તેમના દ્વારા આકર્ષાયા, પછી ભગવાન વિષ્ણુ દેવતાઓ અને રાક્ષસોને અલગ -અલગ પાડ્યા. પરંતુ તે વખતે એક દાનવને ભગવાન વિષ્ણુની આ યુક્તિ પર શંકા ગઈ. તે રાક્ષસ દેવતાઓની લાઈનમાં આવીને બેસી ગયો અને બેસીને અમૃત પીવા લાગ્યા.
 
દેવતાઓની હરોળમાં બેઠેલા ચંદ્ર અને સૂર્યએ આ રાક્ષસને આમ કરતા જોયું. આ માહિતી તેમણે ભગવાન વિષ્ણુને આપી, જે પછી ભગવાન વિષ્ણુએ તેના સુદર્શન ચક્રમાંથી રાક્ષસનું માથું કાપી નાખ્યું. પરંતુ તે રાક્ષસ અમૃતને ગળામાં લઈ ગયો હતો, જેના કારણે તેની મૃત્યુ નથી થઈ અને તેના માથા વાળા બાગ એઆહુ અને ધડનો ભાગ કેતુ તરીકે ઓળખવામાં આવતો હતો. આથી જ રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રને પોતાનો દુશ્મન માને છે. પૂર્ણિમા અને અમાવસ્યાના દિવસેનો ગ્રાસ કરી લે છે. તેને સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.
 
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને છાયા ગ્રહો માનવામાં આવે છે. જો રાહુ અને કેતુ કોઈની કુંડળીમાં ખરાબ મૂડમાં બેસે છે, તો તે જીવનમાં ઘણું વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમની શક્તિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે સૂર્ય અને ચંદ્ર પણ તેની અસરોથી બચી શકતા નથી.

વધુ જુઓ..

Birthday Wishes For Boss- જન્મદિવસની શુભેચ્છાઓ બોસ માટે

રસગુલ્લા રેસીપી - ઘરે જ બનાવો નરમ અને સ્પોન્જી રસગુલ્લા

નાસ્તામાં બનાવો સુપર ટેસ્ટી ફ્રેન્ચ ટોસ્ટ, અહીં નોંધો સરળ રેસીપી

શું બ્રેડ ખાવાથી કે ગેસ પર સેકેલી રોટલી ખાવાથી કેન્સર થવાનું સંકટ વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ

આજની ખાસ રેસીપી: પાલકની ચટણી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

આગળનો લેખ
Show comments