ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Modified: શુક્રવાર, 5 જૂન 2020 (14:47 IST)

Chandra Grahan Date & Time 2020: આજનુ ચંદ્રગ્રહણ કેમ છે ખાસ ? જાણો ચંદ્રગ્રહણ વિશે બધુ જ

Chandra Grahan Date & Time 2020:શુક્રવાર, 5 જૂન એ આજે ​​વર્ષનું બીજું ચંદ્રગ્રહણ બની રહ્યું છે. 10 જાન્યુઆરીએ ચંદ્રગ્રહણ થયું હતું. 5 જૂન પછી, આ મહિનાની 21 મી તારીખે સૂર્યગ્રહણ જોવા મળશે, જે ભારતમાં જોઇ શકાશે. ગ્રહણ એ એક ખગોળીય ઘટના છે જેનું જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ મહત્વ છે. આ  5 જૂનનુ ચંદ્રગ્રહણ ઉપચ્છાયા ચંદ્રગ્રહણ હશે. એટલે કે, ચંદ્ર પર માત્ર એક આછો પડછાયો હશે. વર્ષનું આ બીજું ચંદ્રગ્રહણ કેવું હશે, ક્યારે થશે અને ભારતમાં જોઇ શકાય છે કે નહીં. ચાલો જાણીએ ચંદ્રગ્રહણની બધી વિગતો 
 
 
5 જૂને કેટલા વાગે થશે ચંદ્રગ્રહણ
 
ચંદ્રગ્રહણ 5 જૂન શુક્રવારે રાત્રે 11:16 વાગ્યે શરૂ થશે, જે 6 જૂન શનિવારે 2.34 વાગ્યે સમાપ્ત થશે.  12 વાગીને 54 મિનિટે ગ્રહણનો પ્રભાવ સૌથી રહેશે.
 
 
 
ઉપચ્છાયા ચંદ્રગ્રહણ કેમ ? 
 
5 જૂને યોજાનાર ચંદ્રગ્રહણ ઉપચ્છાયા ચંદ્રગ્રહણ હશે. ચંદ્રગ્રહણને કારણે, ચંદ્રના આકારમાં કોઈ ફેરફાર થશે નહીં. જેમાં ચંદ્ર મટમેલ જેવો હશે। જ્યોતિષ શાસ્ત્રમાં, આ ઘટનાને ગ્રહણ નથી કહેવામાં આવતું , તેથી તેનો સુતક કાળ માન્ય રહેશે નહીં. ચંદ્રગ્રહણમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે છે. ઉપચ્છાયા  ચંદ્રગ્રહણમાં જ્યારે ચંદ્ર પૃથ્વીના પડછાયાવાલા ક્ષેત્રમાં ચંદ્રમાં આવી જાય છે અને ચંદ્ર પર પડનારી સૂર્યની રોશની ખૂબ ઓછી થઈ જાય છે. તેને જ ઉપચ્છાયા  ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે
 
આ ગ્રહણ ક્યાં દેખાશે
ભારત સહિત આ ચંદ્રગ્રહણ એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં જોઇ શકાય છે. પરંતુ તેમા ચંદ્રના આકારમાં કોઈ ફેરફાર દેખાશે નહીં, ફક્ત ચંદ્ર થોડો મટમેલો દેખાશે.
 
 
આ ઉપચ્છાયા  ચંદ્રગ્રહણની ધાર્મિક અસર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ ચંદ્રગ્રહણની ચંદ્ર પર માત્ર પૃથ્વીનો પડછાયો હશે, જેના કારણે તે ગ્રહણની શ્રેણીમાં આવતો નથી, તેથી ધાર્મિક અને સામાન્ય કાર્ય કરવાની રીતમાં કોઈ પરિવર્તન આવશે નહીં.
 
સૂતક લાગશે નહી 
આ ઉપચ્છાયા ચંદ્રગ્રહણમાં સુતક અવધિ માન્ય રહેશે નહીં. ગ્રહણની કોઈ ખરાબ અસર ન પડવાને કારણે સૂતકકાળ લાગશે ક્સનહીં. સુતક કાળનો સમય અશુભ માનવામાં આવે છે.  સૂર્યગ્રહણમાં  સુતક અવધિ 12 કલાક પહેલા શરૂ થાય છે અને ચંદ્રગ્રહણ દરમિયાન, સુતક 9 કલાક પહેલા શરૂ થાય છે.
 
ગ્રહણમાં શુભ કાર્ય થતું નથી
શાસ્ત્રો અનુસાર ગ્રહણ દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં આવતું નથી. ગ્રહણ દરમિયાન મંત્રોચ્ચાર કરીને  ભગવાનને યાદ કરવામાં આવે છે, અને ગ્રહણ પછી ગંગા સ્નાન કરીને આખા ઘરમાં ગંગાજળ છાંટવામાં આવે છે.
 
 
બીજીવાર લાગી રહ્યુ છે ઉપચ્છાયા ચંદ્રગ્રહણ 
 
આ વર્ષનું બીજું ઉપચ્છાયા ચંદ્રગ્રહણ છે. આ પહેલા 10 જાન્યુઆરીએ પણ ઉપચ્છાયા ચંદ્રગ્રહણ થયુ  હતું. ઉપચ્છાયા ચંદ્રગ્રહણમાં, જ્યારે ચંદ્ર પૃથ્વીના પડછાયા વાળા ભાગમાં આવે છે, ત્યારે ચંદ્ર પર પડનારી સૂર્યની રોશની કપાય કપાય ગઈ હોય એવુ લાગે છે તેથી આને ઉપચ્છાયા ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.
 
30-દિવસના અંતરમાં 3 ગ્રહણો
આ વખતે 30 દિવસના ગાળામાં ત્રણ ગ્રહણો હશે. 5 જૂને ચંદ્રગ્રહણ, ત્યારબાદ 21 જૂને સૂર્યગ્રહણ અને 5 જુલાઈએ ચંદ્રગ્રહણ થશે.
 
આ રાશિના લોકોએ  સાવધ રહેવું
આ ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિમાં રહેશે. જ્યારે 5 જૂનની રાત્રે 11: 16 વાગ્યે ગ્રહણ લાગશે ત્યારે તે દરમિયાન ચંદ્ર વૃશ્ચિક રાશિમાં રહેશે. આવી સ્થિતિમાં, વૃશ્ચિક રાશિના લોકોએ સાવધ રહેવું અને ગ્રહણના અશુભ પ્રભાવોને ટાળવા માટે ભગવાનનો જાપ કરવો જોઈએ.
 
આ રીતે જોઈ શકશો ગ્રહણ 
ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ કરતાં વધુ સરળતાથી જોઇ શકાય છે. આ ઉપચ્છાયા ચંદ્રગ્રહણને  ટેલિસ્કોપની સહાયથી જોવાથી ચંદ્ર ખૂબ જ સુંદર દેખાય છે. આ ઉપરાંત તમે સોલર ફિલ્ટરવાળા ચશ્માથી પણ ઉપચ્છાયા ચંદ્રગ્રહણ જોઈ શકો છો.