Webdunia - Bharat's app for daily news and videos

Install App

Karva Chauth 2017- કરવા ચોથ શુભ મૂહૂર્ત અને તિથિ- મહાભારતના આ પાત્રે પણ રાખ્યું હતું કરવા ચૌથ વ્રત

રવિવાર, 8 ઑક્ટોબર 2017 (07:30 IST)
પતિની લાંબી ઉમ્રની કામના માટે કાર્તિક માસના કૃષ્ણપક્ષની ચતુર્થીને કરાતું વ્રત કરવા ચોથ 8 ઓક્ટોબરે છે. સુહાગન મહિલાઓ તેમના પતિ માટે અને અપરિણીત છોકરીઓ સારા વરની ઈચ્છાથી આ દિવસે નિર્જલા ઉપવાસ રાખે છે અને ચંદ્રમાને અર્ધ્ય આઓઈબે જ વ્રતનુ પારણુ કરે છે. 
કરવા ચોથ  પૂજા મૂહૂર્ત 
દિવસ-રવિવાર
તારીખ- 8 ઓક્ટોબર 
કરવા ચૌથ પૂજા મૂહૂર્ત 17:55 થી 19:09
ચંદ્રોદય-20:14
 
 
અખંડ સૌભાગ્યનો મળે છે આશીર્વાદ 
જો કરો છો કોઈથી પ્રેમ તો જરૂર કરો આ વ્રત કરવાથી સુહાગનના પતિની ઉમ્ર લાંબી હોય છે, તેને સુખ-સમૃદ્ધિ પણ મળે છે. આ વ્રતને કરનાર મહિલાને અખંડ સૌભાગ્યનો ગૌરવ મળે છે.  
 
- દિવાલ પર ગેરુથી લીંપીને તેના પર વાટેલા ચોખાના લેપથી કરવા (નીચે આપેલ ચિત્ર) નું ચિત્ર બનાવો. 
 
- શીરો-પુરી અને પાકાં વ્યંજન બનાવો
 
- પીળી માટીથી પાર્વતી બનાવો અને તેમના ખોળામાં ગણેશજીને બેસાડો.
 
- ગૌરીને લાકડીના આસન પર બેસાડો. ગૌરીને ચુંદડી ઓઢાવો. બિંદી વગેરે સુહાગની સામગ્રી વડે ગૌરીનો શ્રૃંગાર કરો.
 
- પાણીથી ભરેલો લોટો મુકો.
 
- ભેટ આપવા માટે માટીનો ટોટીવાળો કરવો(ઘડો) લો. તેમાં ઘઉં મુકીને ઢાંકો અને ઢાંકણમાં દળેલી ખાંડ ભરી દો. તેની ઉપર દક્ષિણા મુકો.
 
- કરવા પર સ્વસ્તિક બનાવો.
 
- ગૌરી-ગણેશ અને ચિત્રિત કરવાની પરંપરાનુસાર પૂજા કરો. પતિની દીર્ઘાયુની કામના કરો. 
 
'નમઃ શિવાયૈ શર્વાણ્યૈ સૌભાગ્યં સંતતિ શુભામ્‌.
પ્રયચ્છ ભક્તિયુક્તાનાં નારીણાં હરવલ્લભે' 
 
- કરવા પર 13 બિંદી મુકો, અને ઘઉં કે ચોખાના 13 દાણા હાથમાં લઈને કરવા ચોથની વાર્તા કહો કે સાંભળો.
 
- કથા સાંભળ્યા પછી કરવા પર હાથ ફેરવી પોતાની સાસુના પગે પડી આશીર્વાદ લો અને તેમને કરવા આપી દો.
 
- તેર ઘઉંના દાણા અને પાણીનો લોટો અથવા ટોટીદાર કરવાને અલગ મુકો.
 
- રાતે ચદ્રમાઁ નીકળ્યા પછી ચારણીની આડથી તેને જુઓ અને ચદ્રને અર્ધ્ય આપો.
 
- ત્યારબાદ પતિ પાસેથી આશીર્વાદ મેળવો. તેમને ભોજન કરાવો અને પોતે પણ ભોજન કરો. 
 
મહાભારતથી સંબંધ- આ વ્રતના ચમત્કારી હોવાની એક કથા છે જ્યારે પાંદવ વનવાસ કરી રહ્યા હતા તો ભગવાન શ્રીકૃષ્ણએ તેમની બેનપણી દ્રોપદીને આ દિવ્ય વ્રત વિશે જણાવ્યું હતું. આ વ્રત કરનારને અખંડ સૌભાગ્ય હોવાનું ગૌરવ મળે છે. 

વધુ જુઓ..

જમાઈ સાસુનો લાડકો કેમ હોય છે? જાણો તેની પાછળનાં માનસશાસ્ત્રીય કારણો

ભગવાન શિવથી પ્રેરિત બાળકીના સુંદર નામ

ગ્રીન ટી માત્ર વજન ઘટાડવામાં જ નહીં, પણ દાંત અને અન્ય ઓરગન માટે પણ છે લાભકારી

Birthday Special Dishes- 4 સ્વાદિષ્ટ વસ્તુઓ તૈયાર કરો.

પિતાનો સાથ કેમ હોય છે જીવનનો સૌથી મોટો સહારો? ફાધર્સ ડે પર ખાસ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

Chaturmas 2026 Date : ચતુર્માસ ક્યારથી લાગી રહ્યો છે, જાણો શાસ્ત્રોમાં તેની શુ છે માન્યતા

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

આગળનો લેખ
Show comments