મંગળવાર, 19 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. ઇસ્લામ
  4. »
  5. ઇસ્લામ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

ઈમાનની કસાવટ

બીજો રોઝો (રમઝાનુલ મુબારક)

N.D
રોઝા ઈમાનની કસાવટ છે. રોઝા સદાકત (સત્ય) ની તરાવટ અને દુનિયાની ઈચ્છાઓ પરની રોક છે. દિલ અલ્લાહના જીક્રની ઈચ્છા કરી રહ્યું હોય તો રોઝા આ ઈચ્છાને રવાની (ગતિ) આપે છે અને ઈમાનને નેકીની ખાણ અને પાકીગજીને પાણી આપે છે. પરંતુ રોઝા રાખ્યા બાદ દિલ દુનિયાની ઈચ્છા રાખે છે તો રોઝા આની પર રૂકાવટ પેદા કરે છે.

પવિત્ર રમઝાનમાં અલ્લાહનું ફરમાન છે 'યા અય્યુહલ્લજીના આમનુ કુતેબા અલયકુમુસ્સ્યામ' એટલે કે હે પુસ્તક (કુરઆન પાક)ને માનનારા રોઝા તમારી પર ફર્જ છે. આનો અર્થ એવો પણ છે કે પુસ્તક એન રોઝાને સમજો. એટલે કે કુરઆનને સમજીને વાંચો (આનો અર્થ એવો છે કે પવિત્ર કુરઆન ખુદાનું એટલે કે અલ્લાહનું કલામ છે અને તેને અદબ અને ખુશુઉ- સમર્પણની ભાવના સાથે પઢવું જોઈએ). તેની વ્યાખ્યા મનગઢંત એટલે કે મનમાની ન કરો. કેમ કે કુરાન ઈંસાફની એટલે કે અલ્લાહનું પુસ્તક છે.