સંબંધિત સમાચાર
- Ram Mandir Darshan:આજથી રામલલાના દર્શન, ત્રણવાર થશે આરતી, કડકડતી શિયાળામાં મંદિર બહાર ભક્તોની ભારે ભીડ.
- Ram Mandir Pran Pratishtha LIVE: "સિયાવર રામચંદ્ર કી જય... આપણા રામલલા હવે ટેંટમાં નહી રહે, અયોધ્યામાં શરૂ થયુ પીએમ મોદીનુ સંબોધન
- Bollywood Celebrity In Ayodhya Ram Mandir - પારંપારિક કપડામાં અયોધ્યા પહોચ્યા અમિતાભ બચ્ચન, રજનીકાંત, આલિયા-રણવીર સહિત આ ફિલ્મી કલાકારો
- Ram Mandir Ayodhya: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં અડવાણી અને અમિત શાહ ભાગ નહી લે, આ બતાવ્યુ કારણ
- આજે રામલલા અયોધ્યા રામ મંદિરમાં બિરાજશે, આ શુભ મુહૂર્તમાં થશે પ્રાણ પ્રતિપ્રષ્ઠા
Ram Mandir Darshan: રામલલાના દર્શન પાસથી થશે , ત્રણ વખત આરતી થશે
Ram Mandir Darshan: રામ ભક્તો મંદિરમાં જઈને તેમના ઈષ્ટદેવની પૂજા કરી શકશે. રામલ્લા બાળ સ્વરૂપમાં ત્યાં બિરાજમાન કરવામાં આવ્યા છે.
આરતીનો સમય કેટલો છે?
રામ મંદિરમાં રામ લલ્લાનો ભોગ આરતી બપોરે 12 કલાકે થશે અને સાંજે આરતી સાંજે 7.30 કલાકે થશે. આ પછી 8.30 વાગ્યે છેલ્લી આરતી કરીને રામલલાને સૂઈ જાય છે. આરતી માટે ફ્રી પાસ મેળવવાના રહેશે, જે ઓનલાઈન અને ઓફલાઈન લઈ શકાશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની વેબસાઈટ અનુસાર, માન્ય સરકારી આઈડી બતાવીને શ્રી રામ જન્મભૂમિ સ્થિત કેમ્પ ઓફિસમાંથી ઓફલાઈન પાસ મેળવી શકાય છે. ઓનલાઈન પાસ માટે srjbtkshetra.org વેબસાઈટ પર જવું પડશે.
51 ઇંચની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીએ પૂર્ણ થયો હતો. પ્રાણ પ્રતિષ્ઠામાં 7000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. રામ મંદિર કરોડો રામ ભક્તોની આસ્થાનું પ્રતિક છે. મંદિરમાં ભગવાન રામની 51 ઇંચની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે, જેને મૈસૂરના કારીગર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. આ શિલ્પમાં ભગવાન વિષ્ણુના તમામ દસ અવતાર, ભગવાન હનુમાન જેવા હિન્દુ દેવતાઓ અને અન્ય મુખ્ય હિન્દુ ધાર્મિક પ્રતીકોની કોતરણીનો પણ સમાવેશ થાય છે.
