સંબંધિત સમાચાર
- નારાજ પાટીદાર આગેવાનો આંદોલનકારીઓના સંપર્કમાં હોવાથી ભાજપને ઝટકો
- લોકસભા ચૂંટણી 2019- બોલો ભણેલો બેકાર અને અભણ રાજકારણી, ભાજપ-કોંગ્રેસના 10 ઉમેદવારો ધોરણ 12થી ય ઓછું ભણેલા
- દરેક ખેડૂત માટે બીજેપીએ ખોલ્યો ખજાનો, 6000ની ભેટ અને પેંશન પણ
- લોકસભા ચૂંટણી 2019- જામનગરમાં કોંગ્રેસના ઉમેદવારે ચોકીદાર શબ્દને નીચ કક્ષાનો ગણાવ્યો
- લોકસભા ચૂંટણી 2019- ગુજરાતમાં કૉંગ્રેસ-ભાજપે લોકસભા ચૂંટણીમાં ધારાસભ્યોને કેમ ઉતાર્યા?
ભાજપના ચૂંટણીઢંઢેરામાં નોકરી અને રોજગાર ક્યાં છે?
કૉંગ્રેસે ભાજપના સંકલ્પપત્રની ટીકા કરી છે અને કહ્યું છે કે તેમાં 'ઍમ્પ્લૉયમૅન્ટ અને જોબ'નો ઉલ્લેખ જ નથી.
વર્ષ 2014ના ભાજપના ચૂંટણીઢંઢેરામાં 13 વખત 'જોબ'નો ઉલ્લેખ હતો, જ્યારે આ વખતે ત્રણ વખત કર્યો છે.
થોડો સમય પહેલાં NSSOનો ડેટા બહાર આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બેરોજગારીનો દર છેલ્લાં 45 વર્ષની સર્વોચ્ચ સપાટીએ છે.
'word cloud' દ્વારા ભાજપ અને કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરાની એક તુલનાત્મક સમીક્ષા તો બંને પક્ષોની પ્રાથમિક્તા અંગે અંદાજ આવે છે.
ગુજરાત મૉડલની વાત નહીં
વાઇબ્રન્ટ ગુજરાતએ મોદીના 'ગુજરાત મૉડલ'નું પ્રતીક
2014માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં ફરીને 'ગુજરાત મૉડલ' રજૂ કર્યુ હતું. જોકે, ગત પાંચ વર્ષ દરમિયાન તેની ચમક ઘટી છે.
બેકારીને કારણે રોજગારમાં અનામત માટે પાટીદાર સમાજે આંદોલન હાથ ધર્યું, જ્યારે ઓબીસી ક્વૉટા ઘટી ન જાય તે માટે ઓબીસી આંદોલન પણ થયું.
બીબીસી ગુજરાતીના કાર્યક્રમ 'ગુજરાતની વાત'માં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતાએ કહ્યું, "સમાજમાં અસંતોષના કારણે આંદોલનો થયાં છે."
"અહીં વાત આવે છે આજીવિકાની. ઝડપથી વધતા શિક્ષણના કારણે શહેરીકરણ વધ્યું છે. ગામડાંમાંથી યુવાનો શહેરમાં આવ્યા અને અહીં આજીવિકા ન મળે તો અસંતોષ ઊભો થાય છે."
"આ વિકલ્પો ઊભા કરવાનું કામ સત્તામાં બેઠેલા લોકોનું છે. જો રોજગારીના વિકલ્પો ઊભા ના થાય તો અસંતોષ ઊભો થાય છે."
તાજેતરના ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદી 'ગુજરાત મૉડલ'ની કોઈ વાત નથી કરી રહ્યા.