સંબંધિત સમાચાર
- જયંતી વિશેષ : જ્યારે મહારાણા પ્રતાપના મૃત્યુનાં સમાચારથી અકબરની આંખો ભીની થઈ ગઈ
- IND vs SA : પ્રથમ વિજય સાથે જ વિશ્વ કપમાં ભારતે આ ભ્રમ ભાંગ્યા અને રેકૉર્ડ્સ બનાવ્યા
- ICC World Cup IND vs SA : આજનું મેદાન ભારત માટે મુશ્કેલી સર્જશે?
- મોદી સરકાર રાજ્યસભામાં બહુમતી મેળવ્યા પછી શું-શું કરી શકે છે?
- ICC World Cup : સતત 11 મૅચ હાર્યાં બાદ પાકિસ્તાનને પ્રથમ સફળતા કઈ રીતે મળી?
દુબઈમાં ઈદ મનાવી પરત ફરી રહેલા 8 ભારતીય સહિત 17 લોકોનાં અકસ્માતમાં મૃત્યુ
દુબઈ પોલીસે જાણકારી આપી છે કે એક બસ અકસ્માતમાં 17 લોકોનાં મૃત્યુ થયાં છે અને 5 લોકો ઘાયલ થયા છે. આ ઘટના ઈદ મનાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે બની છે જેમાં 8 ભારતીયોનો સમાવેશ થાય છે.
ગુરુવારે સાંજે 31 લોકોથી ભરેલી બસને અકસ્માત નડ્યો, જેમાં અલગઅલગ દેશોના 31 લોકો સવાર હતા અને તેઓ ઈદની રજાઓ પૂરી કરી ઓમાનથી પરત ફરી રહ્યા હતા.
ખલીલ ટાઇમ્સ મુજબ ઘાયલ તમામ લોકો અને મૃતકોને રાશિદ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
દુબઈ પોલીસે આ દુર્ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.
8 ભારતીયનાં મૃત્યુ થયાં હોવાની વાતને દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસે સમર્થન આપ્યું છે.