ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Updated : બુધવાર, 2 જૂન 2021 (14:49 IST)

જો તમારી હથેળી છે આવી, તો તમારી પાસે થશે અપાર દૌલત

દરેક કોઈને સુખ-સમૃદ્ધિ અને ધન સંપત્તિ મેળવાની ઈચ્છા હોય છે. ઘણા લોકો  એવા હોય છે જે તેમના સ્તર પર બગુ પરિશ્રમ કરે છે પણ તેના અપેક્ષિત પ્રતિફળ નહી મળતું. તેમના વિપરીય એવા લોકો ઓછા નહી કે ઓછા શ્રમ કે વગર શ્રમ કર્યા વગર પણ માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવતા રહે છે. અમે અહીં જણાવી રહ્યા છે, કે કેવી રીતે તમારા હાથની રેખા જણાવે છે કે તમારી પાસે ધન સંપત્તિના યોગ કેટલું છે. 
 
* જેની હસ્તરેખામાં ભાગ્યરેખાની કોઈ લાઈન જીવનરેખાથી નિકળતી હોય છે, અને હથેીએ સૉફટ અને પિંક હોય તો એવા લોકોના નસીબમાં ખૂબ સંપત્તિ હોય છે. જેના હાથ નરમ હોવાની સાથે-સાથે ભારે અને પહોળા હોય તેણે ધનની ક્યારે કોઈ કમી નહી હોય છે. 
 
* જેના ભાગ્ય રેખાઓ એકથી વધારે હોય છે અને બધા ગ્રહ પૂર્ણ વિકસિત નજર આવે છે, કહેવાય છે કે એવા લોકો કરોડપતિ હોય છે. 
 
* જેના ભાગ્ય રેખાઓ એકથી વધારે નજર આવે છે અને આંગળીઓના આધારે એક સમાન હોય તો, સમજો કે તેને ક્યાંથી અચાનક ધન મળવા વાળું છે. 
 
* જેની ભાગ્ય રેખા જીવનરેખાથી દૂર હોય અને ચંદ્રથી નિકળીને કોઈ પાતળી રેખા ભાગ્ય રેખામાં મળતી નજર આવતી હોય તો અને તે સિવાય ચંદ્ર, ભાગ્ય અને મસ્તિષ્ક રેખાઓ એવી જોવાય જેનાથી ત્રિકોણ બનતું નજર આવે અને આ બધી રેખાઓ દોષ રહિત  હોય, આંગળીઓ સીધી અને બધા ગ્રહ પૂર્ણ રૂપથી વિકસિત હોય તો એવા લોકોને અકસ્માત ધન મળે છે. 
 
* જેની આંગળીઓ સીધી અને પાતળી હોય છે અને હૃદય રેખા બૃહસ્પતિથી નીચે જઈને સમાપ્ત નજર આવે તો સમજો કે તે માણસ ધન સંપત્તિની ક્યારે કોઈ કમી નહી હોય. 
 
* ભાગ્ય રેખા વધારે હોવાની સાથે-સાથે શનિ ઉત્તમ હોય અને જીવન રેખા ઘુમાવદાર હોય તો એવા માણસ પાસે ધન સમૃદ્ધિની ક્યારે કોઈ કમી નહી હોય. 
 
* જેના જમણા હાથમાં બુધથી નિકળતી રેખા ચંદ્રના પર્વતથી મળતી નજર આવતી હોય અને જેની જીવનરેખા પણ ચંદ્ર પર્વત પર જઈને રોકાય એવા જાતકનો ભાગ્ય અચાનક મોડ લઈ લે છે અને તેને ધન પ્રાપ્તિ હોય છે. 
 
* જ્યારે જીવન રેખાની સાથે સાથે મંગળ રેખા અંત સુધી નજર આવે અને હથેળી ભારે હોય તો સમજી લો કે તેને પૈતૃક સંપત્તિથી ધન-સંપત્તિ પ્રાપ્ત થશે.