શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : બુધવાર, 29 જૂન 2022 (17:04 IST)

Astro upay - સોપારીને આ રીતે તિજોરીમાં મુકવાથી ક્યારેય ધનની કમી નહી રહે, વેપાર વધશે

વેપારમાં પ્રગતિ માટે પણ સોપારી ખૂબ જ મદદરૂપ છે. એવી માન્યતા છે કે શનિવારે રાત્રે પીપળના ઝાડની પૂજા કર્યા પછી તેની સાથે એક સોપારી અને એક રૂપિયાનો સિક્કો રાખો. બીજા દિવસે તે ઝાડનું એક પાન તોડીને તેના પર એક સોપારી મૂકીને તિજોરીમાં રાખો, તેનાથી વેપાર વધે છે.

પુરાણોની માન્યતા મુજબ લગભગ બધા દેવી-દેવતાઓને સોપારી ખૂબ પ્રિય છે. ખાસ કરીને ગણેશજી અને મા 
લક્ષ્મીને તો આ ખૂબ જ લોભાવે છે.  સોપારી ધન લાભ અને સૌભાગ્યની સૂચક છે. માત્ર 2 રૂપિયા ખર્ચ કરીને 
તિજોરીને ધન-દોલત અને હીરા ઝવેરાતથી ખચોખચ ભરી શકો છો. શાસ્ત્રો મુજબ સોપારી ચમત્કારીક છે. 
 
 આવો જાણો સોપારીના કેટલાક ટોટકા.. 
- સિદ્ધ સોપારીને તિજોરીમાં મુકવાથી ક્યારેય ધનની કમી નહી આવે. 
- લક્ષ્મી પૂજા પછી સોપારી પર લાલ દોરો લપેટીને તેને અક્ષત, કુમકુમ, પુષ્પ વગેરેથી પૂજન કરી તેને તિજોરીમાં મુકો. 
- પૂજાની સોપારીને ગૌરી-ગણેશના સ્વરૂપનુ માનીને તેના પર જનેઉ અર્પિત કરો. પછી તેને તિજોરીમાં સ્થાપિત કરો. ધનલક્ષ્મી સદા માટે પોતાનો વાસ બનાવી લેશે. 
- વેપારમાં ઉન્નતિ અને વૃદ્ધિ માટે શનિવારની રાત્રે એક સોપારીને એક સિક્કા સાથે પીપળાના ઝાડ નીચે મુકી દો. રવિવારે સવારે પીપળાનુ એક પાન તોડીને તિજોરીમાં મુકી દો.