શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 27 જુલાઈ 2023 (07:52 IST)

આ દિવસોમાં ક્યારે પણ તુલસીને જળ ન ચઢાવવુ માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.

ઘરમાં તુલસીના છોડ જરૂર હોવું જોઈએ. શાસ્ત્રો  મુજબ તો તુલસી ને સારું ગણાયું છે ત્યાં વિજ્ઞાનમાં પણ તુલસીના ઘણા ગુણ જણાવ્યા છે. એ સિવાય વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસીને મહત્વપૂર્ણ ગણાયું છે. વાસ્તુમાં કહ્યું છે કે તુલસીના છોડ હોવાથી ઘણા દોષ પોતે સમાપ્ત થઈ જાય છે.
 
દર રવિવારે, એકાદશી, ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના દિવસે તુલસીને જળ ચઢાવવું જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દોષ આવે છે. એટલું જ નહીં, સાંજ પછી તુલસીના પાન તોડવાની પણ મનાઈ છે.
 
તુલસીને દક્ષિણ દિશામાં ન રાખવું જોઈએ 
ગુરુવારે તુલસીને દૂધ ચઢાવવાથી રવિવાર સિવાય દરરોજ સાંજે તુલસીમાં દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.