સંબંધિત સમાચાર
- India Pakistan Tension: જમ્મુ-કાશ્મીરમાં યુદ્ધવિરામ બાદ આખી રાત રહી શાંતિ, રસ્તાઓ પર વાહનોની અવરજવર શરૂ
- India Pakistan Tension Day 3 :કોઈપણ આતંકી કાર્યવાહીને ભારત વિરુદ્ધ યુદ્ધ માનવામાં આવશે, ભારત સરકારે લીધો મોટો નિર્ણય
- War Against Terror : સમુદ્રથી લઈને આસમાન સુધી ભારતની તાકત છે આ મિસાઈલો, જાણો કોની કેટલી છે ક્ષમતા
- India Pakistan Tension: ભારતનો પાકિસ્તાન પર મોટો જવાબી હુમલો, ઘણા શહેરો પર બોમ્બનો વરસાદ
- પાકિસ્તાન પર આજની રાત ભારે! હવે ભારતની વ્યૂહરચના "નિર્ણાયક" નહીં "સર્જિકલ" હશે
'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે આતંકવાદીઓએ જે ક્રૂરતાથી 26 લોકોના જીવ લીધા, તેનાથી સમગ્ર દેશ ગુસ્સાથી ભરાઈ ગયો. ભારતીય સેનાએ 7 મેના રોજ 'ઓપરેશન સિંદૂર' દ્વારા હુમલાનો બદલો લીધો અને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં નવ આતંકવાદી છાવણીઓનો નાશ કરી. ભારતના આ પગલા પછી, ઘણા ભારતીય કલાકારોએ સેના અને સરકારની પ્રશંસા કરી, પરંતુ અમિતાભ બચ્ચન અત્યાર સુધી આ બાબતે મૌન રહ્યા. બિગ બી સતત X પર બ્લેંક ટ્વીટ્સ પોસ્ટ કરી રહ્યા હતા, જેનાથી તેમના ફેંસ થોડા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે જાણવા માંગતા હતા કે અમિતાભ બચ્ચન આ સમગ્ર મામલે ક્યાં સુધી મૌન રહેશે. હવે બિગ બીએ આખરે પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર અમિતાભ બચ્ચને આપી પ્રતિક્રિયા
અમિતાભ બચ્ચને પહેલગામ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકો અને ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પર સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી. પોતાની પોસ્ટમાં, તેમણે આતંકવાદીઓને કાયર અને રાક્ષસો કહ્યા અને હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તે જ સમયે ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી. તેમણે પોતાના હૃદયની લાગણીઓ કવિતા દ્વારા વ્યક્ત કરી. ચાલો જાણીએ કે બિગ બીએ તેમની પોસ્ટમાં શું લખ્યું.
T 5375 -
— Amitabh Bachchan (@SrBachchan) May 10, 2025
छुट्टियाँ मानते हुए, उस राक्षस ने, निर्दोष पति पत्नी को बाहर खींच कर, पति को नग्न कर, उसके धर्म की पूर्ति करने के बाद , उसे जब गोली मारने लगा, तो पत्नी ने, घुटने पे गिर कर, रो रो अनुरोध करने के बाद भी, की उसके पति को न मारो ; उसके पति को उस बुज़दिल राक्षस ने, बेहद…
અમિતાભ બચ્ચને કવિતા દ્વારા બતાવી દિલની વાત
અમિતાભ બચ્ચને પહેલગામ હુમલામાં નિર્દોષ લોકોના મોત પર શોક વ્યક્ત કરતા લખ્યું - 'રજાઓની ઉજવણી કરી રહેલ નિર્દોષ દંપતીને તે રાક્ષસે બહાર ખેંચી લીધા, પતિને નગ્ન કર્યો, અને તેને ધર્મ પૂજ્યા પછી, જ્યારે તેનાં પર બંદૂક તાકી ત્યારે પત્ની ઘૂંટણિયે પડી ગઈ અને રડી પડી અને તેના પતિને ન મારવા વિનંતી કરી; તે કાયર રાક્ષસે તેના પતિને છતાં નિર્દયતાથી ગોળી મારી દીધી, જેનાથી પત્ની વિધવા થઈ ગઈ!!! ત્યારે પત્નીએ કહ્યું "મને પણ મારી નાખો!!" તો રાક્ષસે કહ્યું, 'ના!' તું જઈને કહે "..." બતાવ ! દીકરીની માનસિક સ્થિતિ વિશે વાત કરતાં, પૂજ્ય બાબુજીની એક કવિતાની એક પંક્તિ મારા મનમાં આવી ગઈ - માનો, એ દીકરી"…" ની પાસે ગઈ, અને કહ્યું - હૈ ચિતા કી રાખ કર મેં, માંગતે સિંદૂર દુનિયા " (પિતાજી ની કવિતા ) તો "…" એ આપી દીધું સિંદૂર !!! OPERATION SINDOOR!!! જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ કી સેના, નાં થમેગા કભી, ન મુડેગા કભી ; તૂ ન ઝુકેગા કભી કર શપથ, કર શપથ... અગ્નીપથ ! અગ્નિપથ ! અગ્નિપથ !
19 દિવસથી કરી રહ્યા હતા બ્લેંક ટ્વીટ
ઉલ્લેખનીય છે કે
તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન ઘણા સમય સુધી પહેલગામ હુમલા પર મૌન રહ્યા હતા અને તેમના ફેંસને આ બિલકુલ ગમ્યું ન હતું. તે ઘણા દિવસોથી બ્લેંક ટ્વિટ કરી રહ્યા હતા. તેમણે પહેલગામ હુમલા વિશે કે ઓપરેશન સિંદૂર વિશે કંઈ કહ્યું નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ પર પણ તેઓ મૌન રહ્યા. આવી સ્થિતિમાં, યુઝર્સ તેમને સતત પૂછી રહ્યા હતા કે તેઓ આખરે આ સમગ્ર મુદ્દા પર ક્યારે પોતાની પ્રતિક્રિયા આપશે. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભારે તણાવ વચ્ચે, અમિતાભ બચ્ચને આ પોસ્ટ શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે.