1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
  4. Sonam Raghuvanshi Secure Bail

Raja Raghuvanshi Murder: 'ટાઈપો એરર' અને સોનમ રઘુવંશીને મળી ગઈ જામીન, આ એક ભૂલે પલટી નાખી બાજી

Sonam Raghuvanshi Secure Bail
ગયા વર્ષે આખા દેશને હચમચાવી નાખનાર રાજા રઘુવંશી હત્યા કેસનો મામલો  ફરી એકવાર સમાચારમાં છે. આ હત્યાનું કારણ સોનમ રઘુવંશીની જામીન છે. સોનમ રઘુવંશી પર 2025 માં તેમના હનીમૂન દરમિયાન તેના પતિ રાજા રઘુવંશીની હત્યા કરવાનો આરોપ છે. 28 એપ્રિલના રોજ, મેઘાલયની એક કોર્ટે તેને જામીન આપ્યા. જોકે, સોનમના જામીનથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે. રાજાના પરિવારે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સોનમ રઘુવંશી દોષિત હોવા છતાં તેને જામીન કેવી રીતે આપવામાં આવ્યા.

 
 

320 દિવસ પછી જેલમાંથી બહાર આવી સોનમ રઘુવંશી  

 
રાજાની હત્યાના મુખ્ય આરોપી સોનમ રઘુવંશીને ધરપકડના લગભગ 320 દિવસ પછી જામીન આપવામાં આવ્યા પાછળ પોલીસની મોટી ભૂલનો ખુલાસો થયો છે. સોનમને જામીન આપતી વખતે કોર્ટે શરત મૂકી હતી કે તેણીએ ટ્રાયલ દરમિયાન શિલોંગમાં જ રહેવું પડશે. શિલોંગ કોર્ટે સોમવારે તેણીને જામીન આપ્યા હતા. મંગળવારે, સોનમના પિતા દેવી સિંહ શિલોંગ પહોંચ્યા અને જામીનની રકમ ચૂકવી દીધી. ત્યારબાદ, મંગળવારે સાંજે સોનમને જેલમાંથી મુક્ત કરવામાં આવી. ચોથી સુનાવણી બાદ કોર્ટે સોનમને રાહત આપી.
 

પોલીસની એક ભૂલથી મળ્યા જામીન 

 
સોનમને આ જામીન પોલીસની એક મોટી બેદરકારીને કારણે મળી. ઉલ્લેખનીય છે કે પોલીસે ધરપકડ સમયે જે દસ્તાવેજ (ધરપકડ મેમો) તૈયાર કર્યો હતો તેમા ગંભીર ભૂલ જોવા મળી. તેમા ભારતીય ન્યાય સંહિતાની ધારા  403(1) લખવામાં આવી હતી. જ્યારે કે આવી કોઈ ધારા નથી. કોર્ટે આ ભૂલને ગંભીર માનતા કહ્યુ કે યોગ્ય ધારાનો ઉલ્લેખ થવો જરૂરી છે. હત્યા જેવા મામલામાં લાગૂ થનારી ધારા લખી દીધી. આ લિપિકીય (પેપર) ભૂલને કારણે કોર્ટે સોનમ રઘુવંશીને જામીન આપી દીધી. 
 

લગાવી હતી આ ધારા 

 
કોર્ટના આદેશ મુજબ, સોનમ રઘુવંશી સંબંધિત અનેક મુખ્ય દસ્તાવેજોમાં નોંધપાત્ર ભૂલો મળી આવી હતી. ધરપકડ મેમો, નિરીક્ષણ મેમો, અધિકારો વિશે માહિતી આપતો મેમો, અને કેસ ડાયરીની એન્ટ્રીમાં પણ ભારતીય દંડ સંહિતાની કલમ 403(1) અસ્તિત્વમાં ન હોવાનું જણાવતા આ માહિતી ઇન્ડિયા ટુડેના અહેવાલમાં બહાર આવી હતી. પોલીસે પોતાનો બચાવ કર્યો હતો કે તે ફક્ત "કારકુની ભૂલ" હતી. જોકે, કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આરોપીને કાયદા દ્વારા જરૂરી મુજબ ધરપકડ માટે સાચા અને નક્કર કારણો પૂરા પાડવામાં આવ્યા ન હતા.

 
આ આધારે, કોર્ટે સોનમ રઘુવંશીને જામીન આપ્યા. કેટલીક શરતો પણ લાદવામાં આવી હતી. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે સોનમ રઘુવંશી પૂર્વ પરવાનગી વિના શિલોંગ છોડી શકશે નહીં. સોનમ રઘુવંશીના ભાઈ, ગોવિંદ રઘુવંશીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જામીન પર મુક્ત થયા પછી પરિવાર તેને ઘરે રાખશે નહીં. ઇન્ડિયા ટુડે અનુસાર, ગોવિંદ રઘુવંશીએ કહ્યું, "અમે તેને હમણાં અમારા ઘરે નહીં રાખીએ. જો મારા માતા-પિતા તેને ઘરે લાવવાનું નક્કી કરે તો પણ હું પોતે ઘરે નહીં રહીશ."
 

શું છે આખો મામલો?

સોનમ રઘુવંશી પર 2025 માં શિલોંગમાં તેમના હનીમૂન દરમિયાન તેમના પતિ રાજા રઘુવંશીની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. આ દંપતીએ મે 2025 માં લગ્ન કર્યા હતા અને પછી તેમના હનીમૂન માટે મેઘાલય ગયા હતા. થોડા દિવસો પછી, રાજા રઘુવંશીના ગુમ થવાના સમાચાર સામે આવ્યા. 2 જૂનના રોજ તેમનો મૃતદેહ ખાડામાંથી મળી આવ્યો હતો, જેનાથી મામલો વધુ ગરમાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સોનમ રઘુવંશીએ અન્ય ઘણા લોકો સાથે મળીને તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ કેસમાં સોનમ રઘુવંશી સહિત કુલ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો