ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 12 એપ્રિલ 2020 (13:20 IST)

રોજ રાત્રે કોણી અન ધૂંટણ પર આ વસ્તુ લગાવવાથી હમેશા માટે દૂર થશે કાળાશ

આજકાલ વધતા પ્રદૂષણને કારણે અને શરીરના યોગ્ય કાળજી ન લેવાથી, ઘણી સમસ્યાઓ ચામડી પર ઊભી થાય છે. જેમાં કોણી અને ઘૂંટણ કાળાપણું પણ એક  સમસ્યા છે. લોકો ઘણીવાર કોણી અને ઘૂંટણની કાળાપણું દૂર કરવાના વિવિધ પ્રકારના ઉપાય અજમાવે છે. જો તમે બધા ઉપાયથી થાકી ગયા છો તો આ ઉપાયને જરૂર અજમાવો. 
 
કોણી અને ધૂંટણની કાળાશ દૂર કરવા માટે તમે એક લીંબૂની જરૂર પડશે. જો તમે દરરોજ રાત્રે સૂતા સમયે લીંબૂના રસથી કોણી અને ઘૂંટણ પર માલિશ કરી મૂકી દેશો તો થોડા જ દિવસોમાં તમને ઘૂંટણ અને કોણી ગોરા અને નરમ થઈ જશે. તે સિવાય તમે કાકડી અને આમલીને મિક્સ કરી ધૂંટણ અને કોણી પર લગાવીને 10 મિનિટ મૂકી દો અને પછી ધોઈ લો. થોડા જ દિવસોમાં અંતર નજર આવશે.