સંબંધિત સમાચાર
- Jind to Sonipat Hydrogen Train- પીએમ મોદીએ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી. તેનું એન્જિન કેવી રીતે કામ કરે છે?
- IRCTC ની નવી વેબસાઇટનું બીટા વર્ઝન થયું લાઇવ, 4 નવી સુવિધાઓ ટ્રેન ટિકિટ બુકિંગના અનુભવને બદલી નાખશે
- LPG થી લઈને Aadhaar સુધી, 1 જુલાઈથી બદલાય જશે 6 જરૂરી નિયમ, જાણો તમારા ખિસ્સા અને રોજબરોજની જીંદગી પર શુ પડશે અસર
- 1 જુલાઈથી, ટિકિટ વિના મુસાફરી કરવી મોંઘી પડશે, 500 દંડ સાથે; બીજાની ટિકિટ પર મુસાફરી કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે
- 1 જૂનથી લાગુ થશે આ 6 મોટા નાણાકીય ફેરફારો, સીધી અસર પડશે તમારા ખિસ્સા અને બજેટ પર
દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન દોડવા માટે તૈયાર, જાણો કેવી રીતે કામ કરશે તેની ટેકનીક, પાણીની વરાળ છોડશે
hydrogen train
ભારતીય રેલ્વે માટે એક ઐતિહાસિક ક્ષણ આવી ગઈ છે. દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન હવે પાટા પર દોડવા માટે તૈયાર છે. તે હરિયાણામાં જીંદ-સોનીપત રૂટ પર દોડશે. લગભગ 90 કિલોમીટરનું અંતર કાપવામાં લગભગ બે કલાક લાગશે. 10 કોચવાળી આ ટ્રેન રસ્તામાં લગભગ 11 સ્ટેશનો પર ઉભી રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 જુલાઈના રોજ તેનું લોન્ચિંગ કરશે. આ ટ્રેન માત્ર ઝડપી જ નહીં પણ સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ પણ છે. તે ડીઝલ કે વીજળીને બદલે હાઇડ્રોજનનો ઉપયોગ કરશે અને ફક્ત પાણીની વરાળનું ઉત્સર્જન કરશે.
કેટલી ખાસ હોય છે હાઇડ્રોજન ટ્રેન ?
તે 10 કોચવાળી ટ્રેન છે, જેમાં 8 પેસેન્જર કોચ અને 2 પાવર કાર (એન્જિન) છે. તેનું કુલ પાવર આઉટપુટ આશરે 2,400 કિલોવોટ છે. મુસાફરોની ક્ષમતા આશરે 2,600 છે. તે સામાન્ય રીતે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, તે વિશ્વની સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેનોમાંની એક છે. તે ચેન્નાઈમાં ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ખાતે બનાવવામાં આવી હતી. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સે તેની ફ્યુઅલ સેલ સિસ્ટમ વિકસાવી હતી.
હાઇડ્રોજન ટ્રેન ટેકનોલોજી અને તેની કાર્યપદ્ધતિ
સામાન્ય ટ્રેનો સામાન્ય રીતે ડીઝલ અથવા વીજળીથી ચાલે છે, પરંતુ હાઇડ્રોજન ટ્રેનો સંપૂર્ણપણે અલગ ટેકનોલોજી પર કામ કરે છે. આ ટ્રેનોમાં હાઇડ્રોજન ગેસને અંદર આવેલી ખાસ ટાંકીઓમાં સંગ્રહિત કરવામાં આવે છે. આ ટ્રેન માટે વીજળીની મદદથી પાણીનું ઇલેક્ટ્રોલાઇઝેશન કરીને હાઇડ્રોજન ઉત્પન્ન કરવા જીંદમાં એક વિશેષ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આ હાઇડ્રોજન ગેસને ફ્યુઅલ સેલ નામના ઉપકરણમાં ઓક્સિજન (હવા) સાથે મિશ્રિત કરવામાં આવે છે, જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સીધી વીજળી ઉત્પન્ન કરે છે અને આ વીજળીથી ટ્રેનની મોટર ચાલે છે.
આ ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ છે. આ આખી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારનો ધુમાડો, કાર્બન ડાયોક્સાઇડ કે પ્રદૂષણ ફેલાતું નથી, પરંતુ માત્ર પાણીની વરાળ અને ગરમી જ બહાર નીકળે છે. ડીઝલ ટ્રેનોની સરખામણીમાં આમાં શૂન્ય ઉત્સર્જન (ઝીરો એમિશન) હોવાથી હવા પ્રદૂષિત થતી નથી, જે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં મોટો ભાગ ભજવશે. આ ક્ષેત્રમાં સફળતા મેળવીને ભારત હવે જર્મની, ચીન અને ફ્રાન્સ જેવા અદ્યતન દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે.
આધુનિક સુવિધાઓની વાત કરીએ તો આ હાઇડ્રોજન ટ્રેનમાં મુસાફરો માટે ઓટોમેટિક દરવાજા, ડીસી એર કન્ડીશનીંગ અને અત્યંત આરામદાયક બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે. હાઇડ્રોજન ગેસ ખૂબ જ જ્વલનશીલ હોવાને કારણે આ ટ્રેનમાં સુરક્ષાના અત્યંત કડક નિયમો અને પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે. તેમાં હાઇડ્રોજનને ખૂબ જ ઉચ્ચ દબાણ પર સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવે છે અને તેના માટે ખાસ રિફ્યુઅલિંગ સ્ટેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ALSO READ: RBI Plastic Notes: અને 20 રૂપિયાની પ્લાસ્ટિક નોટો આવી રહી છે, RBI એ ટેન્ડર બહાર પાડ્યું છે!
આ નવી ટેકનોલોજીની ક્ષમતા ચકાસવા માટે રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (RDSO) દ્વારા તેના જુદા જુદા ટ્રાયલ લેવામાં આવ્યા હતા, જેમાં ટ્રેનની ગતિ, બ્રેકિંગ સિસ્ટમ અને વાઇબ્રેશન જેવી ઘણી મહત્વપૂર્ણ બાબતોનું ઝીણવટભર્યું પરીક્ષણ કરાયું હતું. આ તમામ પરીક્ષણો બાદ, જૂન 2026 માં આ હાઇડ્રોજન ટ્રેનનું 120 કિમી/કલાકની ઝડપે હાઇ-સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.indias-
