સંબંધિત સમાચાર
- ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના
- CM Bhupendra Patel Big Decision.. PM મોદીના નેતૃત્વના 23 વર્ષ પૂરા થવા બદલ CM પટેલનુ મોટુ એલાન
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાથી 21મા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો
- ટંકારા નગરપાલિકા બનશેઃ જ્ઞાનજ્યોતિ પર્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંકેત આપ્યો
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ કાર્યાલય અને સ્વાગત પોર્ટલની નવી અદ્યતન વેબસાઈટ લોન્ચ કરી
ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય
Gujarat CM Bhupendra Patel
Gujarat CM Bhupendra Patel: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના રાજ્ય સ્વાગત સમારોહમાં ખેડૂતોએ મૂકેલી અરજીઓ વાંચીને ખેડૂતોને લગતો આ નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ જે ખેડૂતોની જમીન સરકારી પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવી છે અને જેઓ તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોવાને કારણે બિનખેડૂત બન્યા હતા. હવે તેમને ખેડૂત પ્રમાણપત્ર આપવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોની રજૂઆતો સાંભળીને સંબંધિત અધિકારીઓને જનસમસ્યાઓના સુચારુ અને ત્વરિત નિવારણ માટે યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા. pic.twitter.com/NkSScsliiJ
— CMO Gujarat (@CMOGuj) November 28, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આવા પ્રોજેક્ટ્સમાં જેમની તમામ જમીનો સંપાદિત થઈ ગઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયા હોય તેવા ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણના રાજ્ય સ્વાગતમાં તેમના આ પ્રશ્નની રજૂઆત કરી હતી.
ખેડૂત પ્રમાણપત્ર સંદર્ભે લેવાયો મહત્વનો નિર્ણય
મુખ્યમંત્રીએ સ્વાગતમાં રજૂ થતાં આવા જનહિતકારી પ્રશ્નોના ત્વરિત નિવારણનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર તેઓ લાંબા ગાળાના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે સંબંધિત વિભાગોને પણ પ્રો-એક્ટિવ એપ્રોચ માટે માર્ગદર્શન આપતા રહે છે. તેમણે ખેડૂતોની સ્વાગત ઓનલાઈનમાં મળેલી રજૂઆતો અંગે સાનુકુળ અને પોઝિટીવ વ્યુ અપનાવીને આ પડતર રહેલા પ્રશ્નનું ત્વરાએ નિવારણ લાવી દીધું છે. તદ્અનુસાર, રાજ્યમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સમાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોને ખેતીની જમીન ખરીદવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારે તા.26/12/2008ના ઠરાવથી એવું સૂચવ્યું છે કે આવા ખેડૂતોને ખેડૂત પ્રમાણપત્ર સંબંધિત કલેકટર અથવા અધિકૃત અધિકારી આપી શકે છે. આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી ત્રણ વર્ષમાં જમીન ખરીદવાની જોગવાઈઓ પણ અમલમાં છે.
કલેક્ટર કક્ષાએ લેવામાં આવશે નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે અંતિમ સર્વે બાદ જો કોઈ ખેડૂત ખેડૂત પ્રમાણપત્ર માંગે તો તેની ખેતીની જમીનનો સીરીયલ નંબર પણ બિનખેતીનો હોવો જોઈએ. જો આવી જમીન બંજર બની જાય તો એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે. ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદવાની રહેશે. આ સંદર્ભે જે અરજદારો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલા સુધી ખેડૂત ન હતા તેમને પણ આ નિર્ણયનો લાભ મળશે.
આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે વધુ એક લાભદાયી નિર્ણય લીધો છે, જેના સંદર્ભે તેમણે અધિકારીઓને દરખાસ્ત જારી કરવાનો નિર્દેશ આપ્યો છે.
