પ્રીમિયમ પેટ્રોલની કિમંતોમાં વધારો - કેમ વધી રહી છે કિમંત અને શુ થશે અસર ?
દેશમાં પ્રીમિયમ પેટ્રોલની કિમંતોમાં એકવાર ફરીથી વધારો જોવા મળ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ XP95, XP100, પાવર અને સ્પીડ બ્રાન્ડ્સ જેવા પ્રીમિયમ ઇંધણના ભાવમાં પ્રતિ લિટર લગભગ રૂ. 2 થી રૂ. 2.3 નો વધારો કર્યો છે. આ વધારો આજથી અમલમાં આવ્યો છે, જ્યારે નિયમિત પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે.
વધારા પાછળનુ મુખ્ય કારણ શુ છે ?
બજાર વિશેષજ્ઞો મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિમંતોમા ઉતાર ચઢાવ આનુ મુખ્ય કારણ છે. મઘ્યપૂર્વમાં ચાલી રહેલ ભૂ રાજનીતિક તનાવને કારણે ગ્લોબલ ફ્રૂડ ઓયલ કિમંતો પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત પ્રીમિયમ પેટ્રોલમાં મિક્સ કરવામાં આવતા વિશેષ એડિટિવ્સ (જેવા કે ઉચ્ચ ઑક્ટેન બૂસ્ટર અને પરફોરેમેંસ વધારનારા કંપાઉડ્સ) ના રોકાણમાં પણ વૃદ્ધિ થઈ છે. પ્રીમિયમ ફ્યુલ પહેલાથી જ સામાન્ય પેટ્રોલથી 5-10 રૂપિયા કે તેનાથી વધુ મોંઘુ હોય છે અને આ વધારાથી હવે આ અંતર વધુ પહોળુ થઈ જશે.
પ્રીમિયમ ફ્યુલની કિમંતો ડી-રેગુલેટેડ કેટેગરીમાં આવે છે. એટલે કે કંપનીઓ તેમને બજારના આધાર પર સ્વતંત્ર રૂપથી નક્કી કરી શકે છે. છેલ્લા કેટલાક સમયથી માર્કેટિંગ માર્જિનમાં કમીને કારણે તેલ કંપનીઓ દબાવમાં હતી. પ્રીમિયમ સેગમેંટમા% માર્જિન સારુ હોવાથી કંપનીઓએ ખોટની ભરપાઈ કરવા માટે આની કિમંતો વધારી છે.
સામાન્ય જનતા પર શુ થશે અસર
રાહતની વાત એ છે કે બેસિક ફ્યુલ એટલે કે સામાન્ય પેટ્રોલ અને ડિઝલની કિમંતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેલ કંપનીઓએ છેલ્લી વાર માર્ચ 2024 માં સામાન્ય પેટ્રોલ ડીઝલમાં 2 રૂપિયાનો કપાત કર્યો હતો. અને ત્યારથી આ રેટ સ્થિર છે. પ્રીમિયમ પેટ્રોલનું વેચાણ કુલ પેટ્રોલ વેચાણનો માત્ર એક નાનો ભાગ છે, તેથી સામાન્ય ગ્રાહકો પર તેની મોટી અસર પડશે નહીં.
કયા લોકો ર વધુ પ્રભાવ પડશે.?
પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં થયેલો તાજેતરનો વધારો મુખ્યત્વે એવા વાહન માલિકોને અસર કરશે જેઓ હાઇ-એન્ડ લક્ઝરી કાર, સ્પોર્ટ્સ કાર અથવા હાઇ-પર્ફોર્મન્સ મોટરસાઇકલનો ઉપયોગ કરે છે. પ્રીમિયમ પેટ્રોલમાં ઓક્ટેન નંબર 95 કે તેથી વધુ હોય છે, જે એન્જિનને વધુ સારી તાકાત, ઝડપી પિકઅપ અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે. રૂ. 2 થી વધુના ભાવ વધારાને કારણે દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મોટા શહેરોમાં પ્રીમિયમ પેટ્રોલનો ભાવ હવે રૂ. 110 થી રૂ. 113 પ્રતિ લિટરની ઐતિહાસિક સપાટીને વટાવી શકે છે, જે ગ્રાહકોના માસિક ઇંધણ બજેટમાં નોંધપાત્ર વધારો કરશે.
આ ભાવ વધારો તે લોકો માટે મોટો પડકાર છે જેઓ વાહનના સારા સ્વાસ્થ્ય માટે માત્ર પ્રીમિયમ ઇંધણ પર જ નિર્ભર છે. જોકે, રાહતની વાત એ છે કે સામાન્ય પેટ્રોલ અને ડીઝલ વાપરતા મધ્યમ વર્ગના ગ્રાહકો પર હાલમાં કોઈ વધારાનો આર્થિક બોજ નાખવામાં આવ્યો નથી. બજારના નિષ્ણાતોનું માનવું છે કે જો આગામી સમયમાં વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર થશે, તો પ્રીમિયમ ઇંધણના દરોમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. હાલમાં ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ બિનજરૂરી ખર્ચ ટાળવા માટે પોતાના વાહનના મેન્યુઅલ મુજબ યોગ્ય ઇંધણની પસંદગી કરે.