સંબંધિત સમાચાર
- World Jaundice Day- જાણો કેમ થાય છે કમળો, જાણો તેનાથી બચવાના ઘરેલુ ઉપાય
- World Hepatitis Day- લિવરના સોજાનો સામનો કરી રહ્યા છો તો કોરોનાનુ સંક્રમણ થતા હાલત નાજુક થઈ શકે છે
- Eye Conjunctivitis(આંખ આવવી) ને ઠીક થવામાં કેટલો સમય લાગે છે ?
- 1200 રૂપિયા કિલો વેચાય છે આ શાકભાજી, દિલના આરોગ્ય માટે જરૂરી પોષક તત્વોથી છે ભરપૂર
- EYE Conjunctivitis - ચોમાસામાં ગુજરાત સહિત દેશભરમાં આંખો દ્વારા ફેલાય રહી છે આ સંક્રમક બીમારી, જાણો કારણ અને બચાવ માટે અપનાવો આ ટિપ્સ
સવારે કયા ફળ ખાવા જોઈએ? જાણો ફળ ખાવાનો યોગ્ય સમય અને રીત
Empty Stomach Fruits
Fruit For Empty Stomach - આજની જીવનશૈલીમાં સ્વસ્થ રહેવું કોઈ કાર્યથી ઓછું નથી. શરીરને ફિટ રાખવા માટે પોષક તત્વોની જરૂર હોય છે, જે આપણને તાજા ફળો અને શાકભાજીમાંથી મળે છે. રોગોથી બચવા અને પોતાને ફિટ રાખવા માટે આહારમાં ફળોની માત્રા વધુ રાખવી જોઈએ. ફળ ખાવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે અને તમે સ્વસ્થ રહે છે. જો તમે દિવસની શરૂઆત ફળો (Empty Stomach Fruits) થી કરો છો, તો તમે દિવસભર ઉર્જાવાન અનુભવ કરશો. હવે લોકોના મનમાં સવાલ ઉઠે છે કે ખાલી પેટે કયું ફળ સૌથી સારું છે? (Which fruit is best on an empty stomach) અહીં અમે તમને એવા ફળોના નામ જણાવવા જઈ રહ્યા છીએ જે તમે સવારે ખાઈ શકો છો.
ફળો કેટલા વાગે ખાવા જોઈએ? (Right time to eat fruit)
કેટલાક ફળ એવા છે જે તમે સવારે ખાલી પેટ ખાઈ શકો છો, પરંતુ એવા ઘણા ફળ છે જે સવારના 10 થી બપોરના 12 વાગ્યા સુધી નાસ્તા અને લંચ વચ્ચે ખાવામાં આવે તો સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે. ઘણા એવા ફળો છે જેમાં પ્રોટીન કરતાં ફાઈબરની માત્રા વધુ હોય છે, જેના કારણે તેને સવારે ખાવાને બદલે મધ્ય-સવારમાં ખાવાથી ફાયદો થાય છે
ખાલી પેટ ખવાતા ફળોનાં નામ (Which fruit is best for morning)
- કિવિ (Kiwi) તમે કિવીને ખાલી પેટ ખાઈ શકો છો, જેમાં ફાઈબરની સાથે ઘણા પોષક તત્વો પણ હોય છે. ડેન્ગ્યુ રોગમાં પણ કીવી ફાયદાકારક છે, તેને ખાવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે અને શરીરને ઉર્જા મળે છે.
- એપલ (Apple) તમે ખાલી પેટ સફરજન ખાઈ શકો છો, તેને ખાવાથી વજન નિયંત્રણમાં પણ ફાયદો થશે. પોષક તત્ત્વોથી ભરપૂર સફરજન ખાવાથી તમને કબજિયાત, ગેસથી છુટકારો મળશે અને તમારી પાચનતંત્રમાં સુધારો થશે.
- દાડમ (pomegranate) તમે ખાલી પેટે એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણોથી ભરપૂર દાડમનું સેવન કરી શકો છો. દાડમ ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ પૂરી થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
- પપૈયા(Papaya) પપૈયુ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પપૈયાને ખાલી પેટ ખાઈ શકાય છે. ફાઈબરથી ભરપૂર પપૈયું વજનને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે અને કોલેસ્ટ્રોલ લેવલને પણ યોગ્ય રાખે છે. આ ખાવાથી અપચો, કબજિયાત અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.