બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વ્યક્તિની હત્યા, મારી-મારીને અને ઝેર આપીને લીધો જીવ
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વ્યક્તિની હત્યા કરવામાં આવી. ગુરુવારે સુનમગંજ જિલ્લામાં જોય મહાપાત્રો નામના હિન્દુ વ્યક્તિને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. મહાપાત્રોના પરિવારના જણાવ્યા અનુસાર, તેમને નિર્દયતાથી માર મારવામાં આવ્યો અને પછી એક સ્થાનિક વ્યક્તિએ ઝેર આપ્યું.
ગભરાઈ ગઈ છે બાંગ્લાદેશની હિન્દુ વસ્તી
જ્યારે મહાપાત્રોની હાલત વધુ ખરાબ થઈ, ત્યારે તેમને સિલહટ એમએજી ઓસ્માની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં આઈસીયુમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. આ ઘટનાએ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ વસ્તીને ખૂબ જ ભયભીત કરી દીધી છે.