Advantage of pomegranate peel
દાડમના ફાયદા વિશે તો બધા જાણે છે પણ આજે અમે તેના છાલટા કેટલા ફાયદાકારી છે ,એની જાણકારી આપશું .
*દાડમના છાલમાં પણ એટીઓક્સીડેંટસ હોય છે જે ત્વચાને ખીલ અને સક્ર્મણથી દૂર રાખવામાં મદદ કરે છે. આથી છાલટાને સુકાવીને તવા પર શેકીલો. ઠંડા થતાં મિકસરમાં વાટીને પેકની રીતે ચેહરા પર લગાડો. ખીલ દૂર થશે.
*દાડમના છાલમાં કોલાજનને ક્ષતિથી બચાવે છે જેથી ત્વચા પર કરચલીઓ જલ્દી નહી આવતી. છાલને સુકાવીને પાઉડર બનાવી અને દૂધ અને ગુલાબ જળમાં મિકસ કરે લગાડો.
*ત્વચામાં પીએચ બેલેંસને બચાવી અને નમી પહોંચાડીના લિહાજથી વાળ ખરતા અને ખોડો જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે. શૈંપૂથી બે કલાક પહેલા એને માથા પર મસાજ કરો.
*ગળામાં ખરાશ હોય તો પણ તેનાથી આરામ મળે છે. છાલન પાઉડરને પાણીમાં ઉકાળી લો અને આથી કોગણા કરો. ટાંસિલના દુખાવા અને ગળાની ખરાશમાં આરામ થશે.
*દાડમના છાલમાંના પાઉડર બનાવી દહીંમાં મિક્સ કરી 10 મિનિટ સુધી પેકના રીતે ચેહરા પર લગાડો અને પાણીથી સાફ કરો.
*દાડમના છાલમાં રહેલા એંટીઓક્સીડેંટ કોલેસ્ટ્રોલ અને તણાવને ઓછું કરે છે જેથી દિલના રોગોનો રિસ્ક ઓછું થાય છે. એક ચમચી છાલને પાઉડરને કે ગ્લાસ હૂંફાણા પાણીમાં મિક્સ કરી પીવાથી દિલના દર્દીઓને આરામ મળે છે.
* મુખના ચાંદલા ,શ્વાસની દુર્ગંધ અને જિંજિવાઈટસ જેવા રોગોના ઉપચારમાં એનું સેવન લાભકારી છે. છાલને સુકાવીને પાઉડર બનાવી અને એક ગ્લાસ પાણીમાં એક ચમચી પાઉડર નાખી દિવસમાં ઓછમાં ઓછા બે વાર કોંગણા કરો .આથી મુખની દુર્ગંધ અને દાંત સંબંધિત સમસ્યાઓ દૂર રહેશે.